________________
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી
પોતાના જીવનનાં ૩૦ વર્ષ એમાં વ્યતીત કર્યા. ત્રીસ વરસની ઉંમરે દીક્ષા લીધા પછી લગભગ ૧૨ાા વર્ષ (બાર વર્ષ, પાંચ માસ અને પંદર દિવસ) સુધી કઠોર સાધના કરી. એ પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ પોતાના પ્રથમ સમવસરણની દેશના આપ્યા પછી ૩૦ વર્ષ સુધી સમગ્ર દેશમાં પાદવિહાર કરીને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના ધર્મ અને દર્શનનો નિર્વાણપ્રાપ્તિ સુધી પ્રચાર-પ્રસાર કર્યો. અભૂતપૂર્વ સંગઠનશક્તિ, અથાગ પરિશ્રમ, સમર્પણ, નિષ્ઠા, લગની, સૂઝબૂઝ અને અનાસક્તિથી આત્મકલ્યાણનો પથ દર્શાવતા રહ્યા.
ભગવાન મહાવીરનો જન્મ થયો ત્યારે લિચ્છવી ગણરાજ્ય સમૃદ્ધિના શિખરે હતું. એમની રાજધાની વૈશાલી વૈભવસંપન્ન હતી. મહાવીરની માતા ત્રિશલા લિચ્છવી ગણરાજ્યના પ્રમુખ ચેતકની બહેન હતી અને કુંડગ્રામના જ્ઞાતૃવંશી રાજા સિદ્ધાર્થની રાણી હતી. જ્યારે મહાવીર ગર્ભમાં આવ્યા ત્યારે રાણી ત્રિશલાને ચૌદ અદ્ભુત સ્વપ્નો આવ્યાં. જે આવનાર બાળકની દેવી પ્રતિભાનાં પ્રતીક માનવામાં આવ્યાં. દિગંબર પરંપરામાં ૧૬ સ્વપ્નો અને શ્વેતાંબર પરંપરામાં ૧૪ સ્વપ્નો માનવામાં આવે છે.
બાળપણમાં મહાવીરનું નામ વર્ધમાન હતું. વર્ધમાન નામ એ વાતનું સૂચક હતું કે મહાવીરના જન્મ પછી રાજા સિદ્ધાર્થના પરિવારમાં સમૃદ્ધિ વધતી ગઈ. બાળપણથી જ મહાવીર ખૂબ ગુણવાન, જ્ઞાનવાન, ધીર, ગંભીર અને સાહસિક હતા. રાજમહેલમાં આવનારા સંત એમની પ્રતિભાથી પ્રભાવિત થઈને એમને “સન્મતિ' કહીને બોલાવવા લાગ્યા. જ્ઞાતૃવંશના હોવાના કારણે “જ્ઞાતપુત્ર” પણ કહેવાયા. એમની બહાદુરી, શૌર્ય અને સાહસની પ્રતિભા જોઈને એમનું નામ વીર', “અતિવીર” અને અંતમાં “મહાવીર' પડ્યું.
બાળપણથી જ એમની વૃત્તિ આત્મસ્થ હતી. દિગંબર પરંપરા અનુસાર તેઓ અવિવાહિત રહ્યા. શ્વેતાંબર પરંપરાની માન્યતા છે કે એમના વિવાહ રાજકુમારી યશોદા સાથે થયા, પરંતુ તેઓ ભોગવિલાસમાં આસક્ત ન થયા અને ક્રમશ: એમની વૈરાગ્યવૃત્તિ પ્રબળ બની. તેઓ માત્ર ૨૮ વર્ષના હતા, ત્યારે એમનાં માતા-પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો અને વૈરાગ્યથી ભાવિત થઈ દીક્ષા લેવાનો
33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org