________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ બની ગયું. તેઓ દ્વારકા પાછા ફર્યા અને ગિરનાર પર્વત પર ઘોર તપશ્ચર્યા કરી, તીર્થંકર બન્યા. એમનાં વાગદત્તા રાજુલે પણ સંસાર છોડીને ગિરનાર પર્વત પર દિક્ષા લઈ લીધી. તીર્થંકર નેમિનાથનો ઉલ્લેખ હિંદુ પુરાણો અને બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે. વૈદિક સાંધ્યોપાસનાના શાંતિમંત્રમાં “અરિષ્ટનેમિ શાનિર્ભવતુ' આવે છે. તીર્થંકર નેમિનાથના સમયમાં એમની પ્રેરણાથી પશુરક્ષણ આંદોલન જૂનાગઢ નજીકથી શરૂ થઈને સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારતમાં ફેલાઈ ગયું. ગુજરાતમાં શાકાહારના સંસ્કાર પ્રબળ હોવાની પાછળ નેમિનાથ ભગવાનની દિવ્ય પ્રેરણા રહેલી છે. નેમિનાથનો વૈરાગ્યપ્રસંગ અત્યંત હૃદયસ્પર્શી છે અને તેમના વિશે રચાયેલાં કેટલાંય સ્તવનો, ચિત્રો અને નાટ્યકાવ્યોનું વર્ણન જૈન ધર્મગ્રંથોમાં મળે
ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પણ ઐતિહાસિક પુરુષ હતા. તેઓ કાશીના હતા અને પ્રસિદ્ધ નાગવંશમાં પેદા થયા હતા. એમના સંબંધમાં પ્રચલિત માન્યતા છે કે જ્યારે એમના નાના સાધુવેશમાં પંચાગ્નિ તપ કરી રહ્યા હતા, યુવા પાર્શ્વનાથે સળગેલા અગ્નિની વચ્ચે એક નાગ-નાગણનું જોડું સળગતું જોયું. એમણે તરત લાકડી ફાડીને એમને અર્ધા સળગતા બચાવી લીધા. (શ્વેતાંબર માન્યતા પ્રમાણે કમઠ નામનો સંન્યાસી પંચાગ્નિ તપ કરતો હતો. તેના સળગતા યજ્ઞમાં એક નાગનાગણીનું જોડું પાર્શ્વકુમારે જોયું. તેમણે તેમને બચાવી લાકડું ફડાવી નાખ્યું). આ નાગ-નાગણ મરીને ધરણેન્દ્ર-પદ્માવતી બન્યાં. જ્યારે પાર્શ્વનાથ કેવળજ્ઞાન-પ્રાપ્તિ પૂર્વે સાધનામાં ધ્યાનસ્થ હતા, ત્યારે એમના પૂર્વજન્મના વેરી સંવર નામના દેવે એમની ઉપર પથ્થર, પાણી, કરા વરસાવ્યાં. આ સમયની કિંવદંતી એવી છે કે નાગ-નાગણે એમની ઉપર પોતાની ફણા ફેલાવી દીધી, એટલે મોટાભાગની પ્રતિમાઓમાં પાર્શ્વનાથ ભગવાનની ઓળખાણ એમના મસ્તક ઉપર ફેલાયેલી સર્પની ફણાથી થાય છે. જર્મન ઇતિહાસકાર ડૉ. યાકોબીએ અને ડૉ. ગરિનોટે જૈન ધર્મને બૌદ્ધ ધર્મથી પ્રાચીન પ્રમાણિત કર્યો, એટલું જ નહીં પણ બુદ્ધથી ૨૫૦ વર્ષ પૂર્વે થયેલા ભગવાન પાર્શ્વનાથને પણ ઐતિહાસિક પુરુષ પ્રમાણિત કર્યા.
ઓરિસાની હાથીગુફાથી પ્રાપ્ત થયેલો ખારવેલનો શિલાલેખ પણ આનું સમર્થન કરે છે.
28
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org