SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ સમેતશિખર પર થયું. પાંચમા તીર્થંકર સુમતિનાથ કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી દેશભરમાં ભ્રમણ કરીને ઉપદેશ અને સાર્વજનિક કલ્યાણકાર્યને પ્રેરણા આપતા રહ્યા. છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુ કૌશાંબીના રાજા હતા ત્યારે એમના પ્રિય હાથીના મૃત્યુથી એમને ઘણો આઘાત લાગ્યો અને સંસાર છોડવાનો એમનો સંકલ્પ દઢ થયો. તેમણે અહીં પ્રવ્રજ્યા લીધી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. એમનું નિર્વાણ પણ સમેતશિખર પર થયું. પ્રયાગ વિશ્વવિદ્યાલય દ્વારા કરાવેલાં ખનન અને શોધથી કૌશાંબીમાં કેટલીય મૂર્તિઓ, કીર્તિસ્તંભો તથા પ્રાચીન મંદિરોના પુરાવા મળ્યા છે. કૌશાંબી સાથે પછીના તીર્થકરોનો પણ નિકટનો સંપર્ક હતો. મહાવીર ભગવાનનાં શિષ્યા ચંદનબાળાએ મહાવીરસ્વામીને આ નગરીમાં આહાર વહોરાવ્યો અને એ આહાર (ગોચરી) સ્વીકારતાની સાથે એની ગુલામીની બેડીઓ તૂટી ગઈ. સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ કાશી રાજપરિવારના હતા. એમનું શુભ ચિહ્ન સ્વસ્તિક બહુ લોકપ્રિય બની ગયું. મોહેં-જો-દરો અને લોથલના ખોદકામ દરમિયાન સ્વસ્તિક આલેખનો મળ્યાં છે અને કેટલાયમાં એમની સન્મુખ નજર ઝુકાવતો હાથી છે. . આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ ચંદ્રપુરીમાં રાજકુટુંબમાં જન્મ્યા. એમણે રાજપાટ છોડીને દીક્ષા ધારણ કરી અને ધર્મસાધના કરી. નવમા તીર્થંકર પુષ્પદંત કાકન્દીમાં જન્મ્યા. કાકન્દીના ખોદકામમાં જૈન મંદિર અને મૂર્તિઓ મળી આવ્યાં છે. વિશેષ કરીને પાંચ ફૂટ ઊંચી તીર્થકર મૂર્તિ અને માનસ્તંભ તથા બ્રાહ્મી લિપિમાં શિલાલેખ પણ મળ્યાં છે. દસમા તીર્થંકર શીતલનાથ ભદ્દલપુર (વર્તમાન ભોંડલ)ના હતા, જે ગામ અત્યારે બિહારના હજારીબાગ જિલ્લામાં છે. ૧૯૦૧માં ડૉ. એમ. એ. સ્ટોનની શોધ અનુસાર આ ક્ષેત્રમાં મળી આવેલી મૂર્તિઓ અને મંદિરના અવશેષો જૈન ધર્મનાં હતાં. કેટલાક વિદ્વાનોનો મત છે કે શીતલનાથ એવા સમયે થયા જ્યારે વૈદિક આર્યોની આ ક્ષેત્રમાં પ્રસરવાની શરૂઆત થઈ. આ મુજબ તો ઐતિહાસિક દૃષ્ટિથી શીતલનાથ અને મહાવીર વચ્ચે ૨૦૦૦ વર્ષનું જ અંતર થાય. * 26 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy