________________
અન્ય તીર્થકર ભગવંતો
ઋષભદેવ પછીના ૨૩ તીર્થકરોએ જૈન ધર્મચક્રને ગતિ અને ગહનતા આપી તથા એને સામયિક અને યોગાનુરૂપ બનાવી રાખવાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને સાધનાથી નિભાવી. જૈન શાસ્ત્રો અનુસાર બીજા તીર્થકર અજિતનાથ ઋષભદેવની જેમ અયોધ્યામાં જન્મ્યા. એમના સમયમાં શ્રમણ સંસ્કૃતિની પ્રગતિ થઈ અને મુનિઓ તથા આર્થિકાઓ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા હતા. ત્રીજા તીર્થકર સંભવનાથ શ્રાવસ્તીમાં જન્મ્યા અને એમને ઘેરાયેલાં વરસતાં વાદળો જોઈને નશ્વર સંસારની માયાનું રહસ્ય સમજાયું અને તેને પરિણામે એમણે દીક્ષા ધારણ કરી. એમના સમયે ૧૦૫ ગણધર, બે લાખ પચાસ હજાર મુનિ અને ૩૨000 આર્થિકાઓ જૈન ધર્મ ફેલાવી રહ્યાં હતાં. એમની જન્મનગરી શ્રાવસ્તીમાં સંભવનાથનાં કેટલાંય મંદિરોના અવશેષ મળે છે. જેનો નિર્માણકાળ ઈ.સ. પૂર્વ ચોથી શતાબ્દીથી બારમી શતાબ્દી સુધી છે. શ્રાવસ્તિનો ઉલ્લેખ “હરિવંશ પુરાણ” તથા “કાઠમાંડુ ચરિત્ર'માં પણ આવે છે. ચોથા તીર્થકર અભિનંદનસ્વામીના સંબંધમાં માન્યતા છે કે એમણે ૧૮ વર્ષ સુધી મૌન રહીને તપ-સાધના કર્યા. એમનું નિર્વાણ
25
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org