________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
(જે રીતે અરુણોદયના સમયે સહસરશ્મિ સૂર્ય તો બહુ દૂર રહે છે, પરંતુ એનાં કોમલ કિરણોના પ્રકાશનો સ્પર્શ જ સરોવરમાં મૂરઝાયેલાં કમળોને વિકસિત કરી દે છે, એ જ રીતે હે જિનેશ્વર દેવ, સમસ્ત પાપોનો નાશ કરવાવાળી આપની શક્તિ વિશે તો કહેવું જ શું? શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉચ્ચારણ અથવા જાપ કરેલું આપનું નામ જગતના જીવોનાં પાપોનો નાશ કરીને એને પવિત્ર બનાવી દે છે.)
માર્કન્ડેય પુરાણ, વાયુપુરાણ, નારદપુરાણ, સ્કંદપુરાણ, લિંગપુરાણ જેવાં વિવિધ હિંદુ પુરાણો શ્રીમદ્ ભાગવત તથા જિનસેનના મહાપુરાણ, જંબુદ્વીપપણતિ, વસુદેવ હિંડી, કવિ ચક્રવર્તી પમ્પના કન્નડમાં આદિપુરાણ જેવા જૈનગ્રંથોમાં લખ્યું છે કે આ જ ઋષભદેવ ભગવાનના જ્યેષ્ઠપુત્ર ભરત ભારતના સમ્રાટ બન્યા અને એમના નામથી જ દેશનું નામ “ભારતવર્ષ” પડ્યું. - આચાર્ય બલદેવ ઉપાધ્યાયે પોતાના ગ્રંથ “પુરાણવિમર્શ'માં સ્પષ્ટ કર્યું છે કે ઋષભદેવના પિતા નાભિરાયના નામ પર દેશનું નામ “અજનાભ વર્ષ પડ્યું, જે ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્રવર્તી સમ્રાટ ભરતના રાજ્યમાં પરિવર્તિત થઈને ભારતવર્ષ” તરીકે ઓળખાવા લાગ્યું. તેઓ દઢ રીતે માને છે કે જે ઇતિહાસકારો દુષ્યત-શકુંતલાના પુત્ર ભારતના નામ પરથી ભારતવર્ષનું નામકરણ બતાવે છે, એમણે પ્રમાણભૂત ઐતિહાસિક તથ્યોની ઉપેક્ષા કરી છે.
તીર્થકર ઋષભદેવનું વ્યક્તિત્વ વિલક્ષણ હતું અને એમનું સમન્વયવાદી વિચારદર્શન એટલું પ્રભાવી હતું કે વૈદિક ધર્મના ચોવીસ અવતારોમાં પણ ઋષભદેવનો આઠમા અવતારના રૂપમાં ઉલ્લેખ આવે છે. કર્તવ્યપરાયણ, કર્મઠ અને કર્મયુગના પ્રવર્તક તરીકે રાજા ઋષભદેવનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોવા મળે છે, જ્યારે બીજી બાજુ એક પરમ વીતરાગી, ત્યાગી તીર્થંકરના રૂપમાં એમની છબી ઊપસી આવે છે. એમના જીવનનાં આ બંને પાસાં પોતપોતાના ક્ષેત્રમાં અદ્ભુત, અનુપમ અને અનુકરણીય બની રહ્યાં.
24
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org