________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
પોતાના સાંસારિક જીવનના પ્રથમ ચરણમાં રાજા ઋષભદેવ સંગઠન યુગના પ્રણેતા બન્યા. એમણે સમાજના બધા વર્ગોને કર્મ-પુરુષાર્થમાં પ્રેરિત કર્યા. સમાજમાં નવી ફૂર્તિ અને પ્રગતિશીલ અને કર્મઠતાનો સંચાર થયો. હિંદીના સુપ્રસિદ્ધ કવિ સુરદાસે શ્રીમદ્ ભાગવત્ના પાંચમા અધ્યાયમાં ઋષભાવતારના પ્રસંગથી પ્રેરણા લઈને લખ્યું છે :
"बहुरो रिसभ बडे जब भये नाभिराज दे वन को गये; रिसभ राज परजा सुख पायो
जस ताको सब जग में छायो." કહેવાય છે કે જ્યારે તે ગર્ભમાં હતા, ત્યારે તેમની માતા મરુદેવીએ પ્રથમ સ્વપ્નમાં એક વૃષભ જોયો અને આ રીતે એમનું નામ ઋષભદેવ પડ્યું. કૃષિકર્મના જનક હોવાથી પણ એમનું આ નામ યુક્તિસંગત થઈ ગયું. તીર્થંકર બન્યા પછી એમનું પ્રતીક ચિહ્ન (લાંછન) પણ “વૃષભ” બની ગયું.
રાજા ઋષભદેવને બ્રાહ્મી લિપિ અને ગણિતશાસ્ત્રના પ્રણેતા પણ માનવામાં આવે છે. એશિયા મહાદ્વીપની લિપિઓમાં જે સમાનતા જોવા મળે છે એનું કારણ એ છે કે એનો ઉદ્દભવ બ્રાહ્મી લિપિમાંથી થયો છે. ડૉ. રામધારી સિહ “દિનકર' સંસ્કૃતિના ચાર અધ્યાયમાં લખે છે :
દક્ષિણ ભારતમાં પ્રચલિત દ્રવિડ ભાષાઓમાં બધી લિપિઓ બ્રાહ્મીથી નીકળી છે. જૈન પરંપરા અનુસાર બ્રાહ્મી ઋષભદેવની મોટી પુત્રીનું નામ હતું. ઋષભદેવે અઢાર પ્રકારની લિપિઓની શોધ કરી જેમાંથી એક લિપિ કન્નડ થઈ.”
પ્રજાપતિ ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને વિદ્યાનું મહત્ત્વ દર્શાવ્યું હતું. એમને કહેતા હતા કે “તમારા બંનેનું આ સુંદર શરીર, અવસ્થા અને અનુપમ શીલ જો વિદ્યાથી વિભૂષિત થઈ જાય તો તમારું જીવન સફળ થઈ જાય.' રાજા ઋષભદેવને ગંધર્વવિદ્યાના પ્રથમ ઉપદેશક પણ માનવામાં આવે છે. એમના બંને પુત્રો - ભરત અને બાહુબલિને એમણે સર્વાગી શિક્ષણ આપ્યું. એમને રાજસંચાલન અને સમાજવ્યવસ્થામાં પારંગત કર્યા, એટલું જ નહીં પણ અર્થશાસ્ત્ર, લલિતકલા, અશ્વ અને ગજવિદ્યા, રત્નપરીક્ષા, શસ્ત્ર-વિદ્યા તથા અધ્યાત્મજ્ઞાનમાં પણ નિપુણ બનાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org