________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
આ સ્વપ્નો પ્રતિભાસંપન્ન પુત્રનો જન્મ થશે તેનું પ્રતીક છે. હાથી જેવા બળવાન, વૃષભની જેમ કર્મઠ, સિંહ જેવા પ્રતાપી, અનંત લક્ષ્મીના ધારક, ફૂલો જેવા કોમળ, ચંદ્ર જેવા શીતળ, સૂર્યની જેમ અંધકાર દૂર કરનાર, સુવર્ણકળશ જેવા મંગલમય, પાણીમાં ક્રીડારત માછલી જેવા, જ્ઞાનાનંદ સાગરમાં મગ્ન રહેનાર, કમળ જેવા ખીલેલા, સાગર જેવા ગંભીર, સિંહાસન દર્શાવે છે સંપૂર્ણ આત્માનુશાસન, વિમાનરૂપમાં ભાવિ તીર્થંકરનું આગમન, સર્પરૂપમાં અવધિજ્ઞાનના ધનવાન, રત્નરાશિ જેવા દૈદીપ્યમાન તથા અગ્નિશિખા જેવા
જાજ્વલ્યમાન.
અહીં એ નોંધવું જોઈએ કે તીર્થંકરોનાં પ્રતીક ચિહ્નોમાં પશુપક્ષીઓ અને નૈસર્ગિક તત્ત્વોનું પ્રમાણ વધુ છે. આ મહત્ત્વપૂર્ણ સંકેત છે, જૈન ધર્મની મૂળભૂત ધારણા ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્'. આનો અર્થ છે માનવ અને સમસ્ત પ્રાણીજગત તથા પ્રાકૃતિક તત્ત્વ એકબીજા પર નિર્ભર છે અને આ બધાંનું શાંતિમય સહઅસ્તિત્વ કલ્યાણકારી છે. પ્રાચીનકાળથી પ્રતીક ચિહ્ન - લાંછન - દરેક મૂર્તિની નીચે કોતરેલું હોય છે, જે તીર્થંકરની ઓળખ આપે છે.
તીર્થંકર જૈન ધર્મના શિખરસમા આધ્યાત્મિક મહામાનવ અને પથદર્શક રહ્યા છે. જ્યારે પણ કોઈ નૂતન જિનાલયમાં એમની મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે, ત્યારે એ પ્રસંગને પંચકલ્યાણક કહેવામાં આવે છે. પંચકલ્યાણક તીર્થંકરોના જીવનના પાંચ શુભ દૈવી પ્રસંગોની યાદ અપાવે છે. પાંચ શુભ પ્રસંગ છે : ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ.
ધર્મગ્રંથોમાં વર્ણવવામાં આવેલું તીર્થંકરના સમોવસરણનું દૃશ્ય દિવ્ય અને ધર્મતત્ત્વથી સંપન્ન હોય છે. આમાં તીર્થંકરનો દિવ્યધ્વનિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી વહે છે. તીર્થંકરના પ્રથમ પ્રવચનનો ધર્મલાભ લેવા દેવ, માનવ, પશુ, પક્ષી વગેરે બધાં પ્રાણીઓ વર્તુળાકારમાં બેસે છે.
અશોકવૃક્ષ નીચે મણિજડિત સિંહાસન પર તીર્થંકર બિરાજમાન થાય છે. ભગવાનના સ્વર્ણિમ દેહની બંને તરફ વિંઝાતા ઉજ્જળ ચામર હોય છે. તીર્થંક૨ના મસ્તકની ઉપર ત્રણ છત્ર શોભતાં હોય છે. ત્રણે છત્રો અરિહંતના ત્રણ
Jain Education International
18
For Personal & Private Use Only
www.jainelibrary.org