________________
જેને ધર્મઃ વારસો અને વૈભવ
"जिसने राग द्वेष आदिक जीते सब जगत जान लिया, सब जीवों का मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया । યુદ્ધ, વીર, બિન, હરિહર, વ્ર યા ૩ો સ્વાધીન ,
મમિવ છે પ્રેરિત હો યદ વિત્ત ૩સીમેં તીન રહો !” શ્રી ચોવીસી પૂજનમાં પણ તીર્થકરો પ્રત્યે પ્રફુલ્લિત અંત:કરણથી દરરોજ પૂજામાં જૈન ભક્ત ગાય છે :
“ચોવીસ નિનન્દા, મનંદ્ર વંા, પાપ-નિન્તી, સુબ્રેરી | जिन पद-युग-चंदा, उदय अमंदा,
વાસવ - વંા, હિતારી !” સર્વવ્યાપી અહિંસા ધર્મના પ્રવર્તક ચોવીસ તીર્થંકરો રાજવંશી ક્ષત્રિય હતા. આમાંથી ધર્મનાથ અને કુંથુનાથ કુરુવંશના, સુવ્રતનાથ હરિવંશના અને બાકીના ૨૧ તીર્થકરો ઇક્વાકુવંશના હતા. બધા તીર્થકર સમૃદ્ધ વૈભવસંપન્ન રાજ પરિવારમાં જન્મ્યા, ઊછર્યા અને મોટા થયા તેમજ નિરંતર રાજવૈભવ અને ભૌતિક સુખ-સુવિધાઓથી ઘેરાયેલા રહ્યા. પોતાનું રાજવી તરીકેનું કર્તવ્ય પણ યોગ્ય રીતે બજાવ્યું, પરંતુ જ્યારે ઘટનાચક્રે એમના હૃદયમાં સંસાર અસાર હોવાની યથાર્થતા પ્રગટ કરી તો તેઓ અદમ્ય સાહસ, સંકલ્પ અને આસ્થાથી, માયાજાળથી મુક્ત થવા અને જીવનના રહસ્યને શોધવા અપરિગ્રહી બની, વીતરાગતાના સાધનાપંથે ચાલી નીકળ્યા. કઠોર તપસ્યા, દીર્ઘકાલીન ધ્યાન, આત્મચિંતન, વિચારમંથન, ઇન્દ્રિયદમન, મોહ, માયા, લોભ, અહંકાર અને અસત્યના ત્યાગ તથા વ્રત અને તપસ્યાએ એમના આત્માના સઘળા કષાયો ધોઈને એમને નિર્મળ, વિમલ, વીતરાગ બનાવી દીધા અને અંતે તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
જે વર્ષો સુધી સાંસારિક જીવનમાં ઉચ્ચ કોટિના કર્મવીર અને જનનાયક રહ્યા હતા, એમની ધર્મવીર અને આધ્યાત્મિક પથ-પ્રદર્શકના રૂપમાં પરિણતિ થઈ. તેમની આ સિદ્ધિએ સમાજ અને વ્યાપક જનમાનસ માટે પ્રેરક દષ્ટાંત પૂરું પાડ્યું. સંસારમાં રહીને કઈ રીતે સંયત, નિયંત્રિત, સંતુલિત, વિવેકપૂર્ણ જીવનમાં આત્મોદ્ધારનો રસ્તો ખૂલી શકે છે, આ સંદર્ભમાં શ્રી કુંદકુંદાચાર્યએ લખ્યું છે :
16.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org