________________
તારક તીર્થકરો
પાંચ હજાર વર્ષોથી પણ વધુ સમયથી ભગવાન ઋષભદેવથી પ્રારંભ કરીને ભગવાન મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકરોએ ઇતિહાસના વિભિન્ન સમય ખંડમાં અને સમાજની બદલાતી પરિસ્થિતિઓમાં જૈનદર્શન અને ધર્મને અખંડ રાખી એના સિદ્ધાંતો વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વાણી અને વિચાર વડે પ્રચાર અને પ્રસાર કર્યો અને એની સાર્થકતા દર્શાવી.
જૈન વિદ્વાન પં. બલભદ્રજીએ કહ્યું છે :
“બધા તીર્થકરો સમાન રૂપથી પૂજ્ય છે, પરંતુ એમાં ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનું જીવનચરિત્ર અદ્ભુત છે. તીર્થકરોનાં અલૌકિક
વ્યક્તિત્વે પોતાના યુગમાં સંપૂર્ણ લોકમાનસને બદલીને એક નવી દિશા ચીંધવામાં નિર્ણાયક ભાગ ભજવ્યો.
તીર્થકરોએ દર્શાવ્યું કે જીવન બહાર નહીં, આપણી અંદર છે. બાહ્યભાવો કે મિથ્યાત્વરૂપી પડછાયાથી મુક્ત થઈને ભીતરમાં જઈ આત્મતત્ત્વની ખોજ કરો અને તેમાં લીન થઈ જાવ. દરેક યુગમાં જૈન ધર્મના સંપૂર્ણ અને વ્યાપક અહિંસાના સંદેશે સંસ્કૃતિને નવી પ્રેરણા આપી છે અને ભારતીય સમાજમાં નૈતિકતાના સંસ્કારોનું પોષણ અને સંવર્ધન કર્યું છે; એમ બેલાશક કહી શકાય. તીર્થકરોએ જૈન ધર્મની પ્રસ્તુતિ મોક્ષ-માર્ગની પ્રાપ્તિ માટે શ્રુત અને ચારિત્રના માર્ગ રૂપે કરી. માટે નૈતિક જીવનશૈલીનું પાલન પણ આવશ્યક દર્શાવ્યું. આ જીવનશૈલીમાં સંપૂર્ણ જીવજગત અને પ્રકૃતિનાં તત્ત્વો પ્રત્યે સંવેદના અને શાંતિમય સહઅસ્તિત્વની ભાવનાનું ઊંડાણ જોવા મળે છે. નિશ્ચય અને વ્યવહારધર્મ બંનેની અંતરંગ કરીને સમજાવતા આચાર્ય શાંતિસાગર મહારાજસાહેબે કહ્યું છે :
“જેવી રીતે ફૂલમાંથી ફળ ઉત્પન્ન થાય છે, એવી રીતે વ્યવહારધર્મમાંથી નિશ્ચયધર્મ ઉત્પન્ન થાય છે. જે વ્યવહારધર્મમાંથી નિશ્ચયધર્મ ઉત્પન્ન નથી થતો એ વ્યવહારધર્મ અધૂરો છે.”
જૈન ધર્માવલંબીઓમાં અતિપ્રિય “મેરી ભાવના' (લે. ૫. જુગલકિશોરજી)ના પ્રથમ છંદમાં તીર્થકરોનો સારગર્ભિત મહિમા કહેવામાં આવ્યો છે :
15
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org