________________
૩
તારક તીર્થંકરો
જૈન ધર્મની અજોડ વિશેષતા છે, એની તીર્થંકર પરંપરા. જૈન પરંપરાના ચોવીસે તીર્થંકરોને જ્ઞાન, શક્તિ, ગુણ અને રૂપમાં મનુષ્યોમાં સર્વોત્કૃષ્ટ માનવામાં આવ્યા છે. ડૉ. નેમિચંદ જૈને લખ્યું છે કે વાસ્તવમાં તીર્થંકર પરંપરા સત્યની શોધની એક વૈજ્ઞાનિક પરંપરા છે. જે રીતે સત્યની શોધમાં કાળના પ્રવાહમાં એક વૈજ્ઞાનિક બીજા વૈજ્ઞાનિકના હાથમાં પોતાના સંશોધન અને સાધનનાં સંપૂર્ણ સૂત્રો સોંપી દે છે, એવી જ રીતે ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી સુધી બન્યું છે. આ રીતે જૈન સિદ્ધાંત મૂળમાં અચળ રહીને પણ યુગને અનુરૂપ રહ્યો.
ગહન સાધનાથી ઉપાર્જિત શુદ્ધ ચેતના અને સંકલ્પથી તીર્થંકરોએ પ્રભાવહીન થઈ ૨હેલા ધર્મતીર્થનો ભવ્ય પુનરુદ્ધાર કર્યો અને તેથી તેઓ તીર્થંકર કહેવાયા. તીર્થંકરો સ્વર્ગથી અવતરિત થતા નથી. એ તો માનવ જેવા માનવ હોય છે જે સર્વપ્રથમ પોતે ધર્મ પંથે ચાલીને મહામાનવ બની પોતાના નિર્વાણ પહેલાં માનવીને સુખ અને શાંતિનો રસ્તો બતાવે છે. એમની વાણી પહેલાં એમની કરણી હંમેશાં વાણીમાં બળનો સંચાર કરે છે.
Jain Education International
14
For Personal & Private Use Only
www.jainelibrary.org