________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
છે. પ્રકાંડ વિદ્વાન ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવી લખે છે કે બંને પરંપરાઓમાં ચાલતા તાત્વિક આદાનપ્રદાન અને ખુલ્લા સમાવેશક સંપર્કથી સમાનતાઓ અને મતભેદો સ્પષ્ટ થતાં ગયાં છે. જૈન શ્રમણ સંસ્કૃતિની કઠોર સાધના અને કઠિન તપસ્યા અને શ્રમણ સંગઠનના અનુશાસને ઉપનિષદકાળના દાર્શનિક અને આધ્યાત્મિક સંવાદોને મૂલ્યવાન દિગ્દર્શન આપ્યું. નિવૃત્તિ, ત્રિગુપ્તિ, પ્રવ્રજ્યા, સંસ્મારક અને સંલ્લેખનાઓની પ્રક્રિયા અને સિદ્ધાંતો તથા કર્મબંધનથી છુટકારો મેળવવાના ઉપાયોએ હિંદુ ધર્મ ઉપર ઘણો પ્રભાવ પાડ્યો.
દ્રવિડ સંસ્કૃતિ પછી વ્રતસાધના શ્રમણ કહેવાઈ અને વૈદિક પરંપરાને સજીવન કરનારી કહેવાઈ. બ્રાહ્મણ ભારતીય સંસ્કૃતિ, શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિનું સમન્વિત રૂપ છે. વૈદિક સંસ્કૃતિમાં બાહ્ય શુચિતા, સંપન્નતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિનું લક્ષ્ય અંતરંગ પવિત્રતા, વિકારભાવોનું શમન, આત્મલીનતા અને આત્મગુણોનો વિકાસ છે. એક સારગર્ભિત ટિપ્પણીમાં સ્થાનકવાસી જૈન શ્વેતાંબર તૃતીય પટ્ટધર આચાર્ય શ્રી દેવેન્દ્ર મુનિએ લખ્યું છે :
“વૈદિક સંસ્કૃતિનું મૂળ પ્રકૃતિ છે તો શ્રમણ સંસ્કૃતિનું મૂળ સ્વાત્મા છે. એક બાહ્ય અને બીજું આંતર. પ્રકૃતિનાં વિવિધ પાસાંઓ, ઘટનાઓને નિહાળીને સમયે સમયે ઋષિઓએ જે કલ્પનાઓ કરી, એમાં બ્રહ્મનું સ્વરૂપ વ્યક્ત થયું છે, પરંતુ શ્રમણ સંસ્કૃતિ આત્મ-ચેતનાની તરફ વધુ ઝૂકી છે. એનો સ્પષ્ટ મત છે કે દરેક પ્રાણીમાં એક ચિન્મય જ્યોતિ છુપાયેલી છે. પછી તે કીડી હોય, કુંજર હોય, પશુ હોય કે માનવ કે પછી નરકનો જીવ હોય કે સ્વર્ગના અધીશ્વર દેવરાજ ઇન્દ્ર હોય. બધામાં એ અખંડ જ્યોતિ એકસરખી ઝગમગે છે. કોઈએ એ જ્યોતિનો વિકાસ કર્યો છે તો કોઈમાં એ જ્યોતિ રાખથી ભારેલા અગ્નિ જેમ સુપ્ત છે. વૈદિક સંસ્કૃતિમાં પરતંત્રતા, ઈશ્વરાલંબન અને ક્રિયાકાંડનું મહત્ત્વ છે તો શ્રમણ સંસ્કૃતિમાં સ્વાતંત્ર્ય, સ્વાવલંબન અને વિશુદ્ધ આત્માની સર્વોચ્ચ શક્તિનો સંકલ્પ રહ્યો છે. શ્રમણ સંસ્કૃતિની માન્યતા છે કે તથાકથિત ઈશ્વર તારણહાર નથી કે સૃષ્ટિના કર્તા-ધર્તા અને સંહર્તા નથી. દરેક પ્રાણી પોતાનાં સત્કાર્યો, શ્રમ અને સાધનાથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.”
12
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org