________________
મહાવીર વાણીની પ્રાસંગિકતા
ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર જ નહીં, પરંતુ વિશ્વના મુખ્ય હરોળના આધ્યાત્મિક ગુરુવર બની ગયા છે, જેમનો અહિંસા, શાંતિ, કરુણા, વિવેક, સહિષ્ણુતા અને સમાનતાનો શાશ્વત સંદેશ છેલ્લી ૨૫ શતાબ્દીઓથી ગુંજતો આવે છે, અને આજની વિષમ અને અશાંત સ્થિતિમાં મનને સુખ અને શાંતિ આપે છે. એમણે સ્વયંનો આત્મોદ્ધાર તો કર્યો જ, પરંતુ એનાથી પણ વધુ તેઓ હિંસા, પરિગ્રહ, અહંકાર, શોષણ અને માયાના મૃગજાળથી લદાયેલી માનવજાતિને પરોપકારી આત્મકલ્યાણનો રસ્તો બતાવતા ગયા. એમની વાણીમાં છુપાયેલી અહિંસાની શક્તિ અને સાહસને મહાત્મા ગાંધીએ આત્મસાત્ કરીને ભારતને અહિંસા અને સત્યાગ્રહના માધ્યમથી આઝાદી અપાવી. એમની પાસેથી પ્રેરણા લીધી અમેરિકામાં થતા રંગભેદના સંઘર્ષ માટે માર્ટિન લ્યુથર કિંગ અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાએ.
ભગવાન મહાવીર સ્વામીએ ૩૦ વર્ષની વયે રાજમહેલના ભોગવિલાસથી નિર્મોહી બનીને વૈરાગ્ય લઈ લીધો અને સાડાબાર વર્ષ સુધી કોલાહલથી દૂર કઠોર સાધના, તપસ્યા અને આત્મચિંતનમાં લાગેલા
226
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org