________________
આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ
પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક અજોડ છે કારણ કે એમાં રજૂ થયેલી બધી પ્રવૃત્તિઓ સારગર્ભિત અને વિવેચનાત્મક છે અને વિશ્વની સમસ્યાઓના સંદર્ભમાં જૈન ધર્મનાં મહત્ત્વ અને સામયિકતાને અર્થ સાથે પ્રકાશિત કરે છે.
વિશ્વ ધર્મ પરિષદનું ત્રીજું અધિવેશન ડિસેમ્બર ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં થયું. આ સંમેલનમાં પણ જૈન પ્રતિનિધિમંડળે અત્યંત સક્રિય ભૂમિકા નિભાવી. મુખ્ય સંત અને વિદ્વાનો જેમણે જૈન ધર્મ પર પ્રસ્તુતિ કરી એમાં હતા : આચાર્ય ચંદનાજી, સાધ્વી શિલાપીજી, ડૉ. લક્ષ્મીમલ સિંઘવી, ડૉ. નરેન્દ્ર પી. જૈન, પ્રવીણ શાહ, નીરજ જૈન, ડૉ. એસ. એલ. ગાંધી.
આ બંને પરિષદો સિવાય પણ જૈન ધર્મને કેટલાય વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનમાં મહત્ત્વનું સ્થાન મળ્યું જેનાથી જૈન ધર્મના વૈશ્વિકીકરણની પ્રક્રિયા છેલ્લાં ૨૦ વર્ષોમાં ઝડપી થઈ ગઈ છે. બ્રાઝિલના શહેર રિયો ડિ જાનેરોમાં ૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્ત્વાવધાનમાં સંપન્ન “પૃથ્વી શિખર સંમેલન'ની સાથે સાથે બે બીજી મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી થઈ જેમાં જૈન ધર્મનો પક્ષ જીવંત રૂપે રાખવામાં આવ્યો. પ્રથમ “ધી સિક્રેડ અર્થ ગેધરિંગ - રિયો ૯૨' (Sacred Earth Gathering - Rio 92) જેના પ્રથમ પૃથ્વી ઘોષણાપત્રમાં મારા પ્રયત્નોથી અહિંસાનો ઉલ્લેખ પ્રભાવક રૂપે થઈ શક્યો કારણ કે હું એ સંમેલનના રિપોર્ટર જનરલ તરીકે પસંદગી પામ્યો હતો.
“આપણે સમસ્ત જીવન અને સમસ્ત જીવજગતના શાંતિમય અને પારસ્પરિક નિર્ભરતા સાથે અસ્તિત્વની નૈતિકતામાં વિશ્વાસ રાખીએ છીએ. શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોને માટે ખાસ કરીને માનવ-માનવ અને માનવ તથા સમસ્ત પ્રાણીજગતના પરસ્પરના સંબંધમાં આપણું સંકલિત સમર્થન છે.”
સંસદ સદસ્યો અને આધ્યાત્મિક અગ્રણીઓના વિશ્વમંચનું અધિવેશન પણ આ જ સમયે બ્રાઝિલના સંસદ ભવનમાં થયું જ્યાં આચાર્ય સુશીલકુમારજી અને ડૉ. નરેન્દ્ર જૈનની વિશિષ્ટ ઉપસ્થિતિના માધ્યમથી વિશ્વ વિદ્વાનોના સમાગમમાં જૈન ધર્મ - અહિંસા ધર્મ તરીકે પ્રતિષ્ઠિત બની ગયો અને વિશ્વ અહિંસા આંદોલનનો પ્રારંભ થયો.
213.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org