________________
જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ
અને વ્યવહારને માનવ-માનવ, માનવ-સમસ્ત પ્રાણીજગત તથા માનવ અને પર્યાવરણના વિસ્તૃત ફલક પર સ્થાપિત કરીને એને આગળ વધારવા માટે વિશ્વધર્મો વચ્ચે રચનાત્મક સહયોગનું આહ્વાન કર્યું. ઘોષણાપત્રના પસંદ કરેલાં ઉદાહરણો એને પ્રતિબિંબિત કરે છે :
(૧) બધા લોકોને જીવવાનો, સુરક્ષાનો અને પોતાના વ્યક્તિત્વના સ્વતંત્ર વિકાસનો અધિકાર છે, એ શરત સાથે કે તેઓ બીજાના આવા જ અધિકારોમાં બાધક ન બને. બીજા મનુષ્યને મારવાનું તો દૂર રહ્યું પણ શારીરિક અથવા માનસિક યાતના અને કષ્ટ આપવાનો પણ કોઈને અધિકાર નથી. કોઈ પણ જનસમુદાય, રાજ્ય, જાતિ અથવા ધર્મ કે બીજાઓ સાથે ધૃણા અથવા ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવાનો કે એનું નામોનિશાન મિટાવવાનો કે એને દેશનિકાલ કરવાનો પણ અધિકાર નથી.
(૨) માનવ હોવાને નાતે ભાવિની થનાર પેઢીઓ માટે પૃથ્વી, અંતરિક્ષ, પવન, જળ અને ભૂમિ પ્રત્યે આપણું વિશેષ ઉત્તરદાયિત્વ છે. આ વસુધામાં આપણે બધા એકબીજા પર સમાનરૂપે નિર્ભર છીએ. માટે પ્રકૃતિ અને વસુધાનું માનવ દ્વારા થતું શોષણ ડામવું જોઈએ અને આપણે પ્રકૃતિ અને ધરતી સાથે સુમેળ અને શાંતિથી રહેવાની આદત પાડવી જોઈએ.
(૩) પ્રત્યેક માનવસમૂહ, જાતિ અને ધર્મએ સહિષ્ણુતા દર્શાવવી જોઈએ અને એકબીજા પ્રત્યે આદરભાવ અને ઇજ્જતને વધારવા જોઈએ.
વિશ્વ ધર્મ સંસદમાં એક World spiritual Assembly (વિશ્વ આધ્યાત્મિક સંસ્થા)ની સ્થાપના પણ થઈ જેમાં સાત મુખ્ય જૈન વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. આચાર્યા ચંદનાજી, આચાર્ય સુશીલકુમાર, ગુરુદેવ ચિત્રભાનુ, પૂર્વ રાજદૂત ડૉ. લક્ષ્મીમલ સિંઘવી, પૂર્વ રાજદૂત ડૉ. નરેન્દ્ર જૈન, દાનવીર દીપચંદ ગાર્ડ, ડૉ. કુમારપાળ દેસાઈ
જૈન ધર્મનાં વિભિન્ન પાસાંઓ પર જૈન સંતો અને વિદ્વાનોનાં ભાષણ થયાં જેનું સંકલન મેં લખેલી લાંબી પ્રસ્તાવના સાથે “Global Perspective of Jainism'ના શીર્ષકથી પુસ્તકના રૂપમાં પાર્શ્વનાથ જ્ઞાનપીઠ, વારાણસી દ્વારા
212
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org