________________
શ્રમણ સંસ્કૃતિની આધારશિલા
જૈન ધર્મ શ્રમણ સંસ્કૃતિની આધારશિલા છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રમણ સંસ્કૃતિનું અગ્રિમ સ્થાન રહ્યું છે. જે સંયમપૂર્વક શ્રમ કરે તેને શ્રમણ કહે છે. આ પરંપરાની પ્રાચીનતા ઋગ્વદમાં આવતા શ્રમણ શબ્દના પ્રયોગથી સિદ્ધ થાય છે. શ્રમણ સંસ્કૃતિમાં દર્શન, સિદ્ધાંત, તેના પ્રવર્તક તીર્થકરો તથા એમની પરંપરા મહત્ત્વના સાંસ્કૃતિક ઘટકો છે. શ્રમણ સંસ્કૃતિના વિકાસમાં આ ચોવીસ તીર્થંકરો પ્રેરક રહ્યા છે. દરેક તીર્થકરે પોતાના સમયે ચતુર્વિધ તીર્થની સ્થાપના કરી : સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા. તેઓ તીર્થંકર કહેવાયા કારણ કે “તીર્થમ્ રોતીતિ તીર્ચર' - તેઓ સ્વયં માત્ર અરિહંત બન્યા એટલું જ નહીં, એમણે સમાજને માટે પણ પ્રેરણામય “ધર્મ તીર્થ સ્થાપિત કર્યું, જે સર્વાગીણ સર્વોદયનું સોપાન હતું.
મુનિ-સંઘ પરંપરાના પાછળના આચાર્યોએ બે તીર્થકરો વચ્ચેના લાંબા સમયગાળા દરમિયાન શ્રમણ સંસ્કૃતિને સુવ્યવસ્થિત અને સુગઠિત રાખી. એમની નિષ્ઠા, વિદ્વત્તા, ત્યાગ, તપસ્યા અને સાધનાએ શ્રાવક સમાજ સમક્ષ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું કે કઈ રીતે પોતાનાં જ્ઞાન, સંયમ, સંકલ્પ, મનોબળ, સતત પ્રયત્ન અને કઠોર સાધનાથી માનવ આત્મકલ્યાણનો રસ્તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org