SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ દશલક્ષણ પર્વમાં વિશેષ રૂપથી તત્ત્વાર્થસૂત્રનો નિયમિત પાઠ કરવામાં આવે છે, જેનાથી જૈન તત્ત્વજ્ઞાનને ગ્રહણ કરી શકાય. ચાતુર્માસ કરી રહેલા મુનિવરોનાં પ્રવચન, શાસ્ત્રચર્યા અને આધ્યાત્મિક દિશાદર્શન ધર્મલાભને પ્રેરણાત્મક બનાવે છે. સમાજના લોકો એકઠા થઈ આ પર્વ ઊજવે છે તેથી સમાજના વૃદ્ધ, પ્રૌઢ, યુવાન બધા વર્ગોમાં સંચાર થાય છે કે ધર્મને માટે સમય કાઢવો અને ધર્મને સમ્યગૂ સમજવો કેટલું જરૂરી અને લાભપ્રદ છે. આજના યુગમાં વિશેષ પડકાર એ વાતનો છે કે આવા સામૂહિક તહેવાર દ્વારા આપણે યુવાન પેઢીને આકર્ષિત કરીએ અને ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં જે ખાઈ વધી ગઈ છે તેને યુવાનો અને પ્રૌઢો વચ્ચે સંવાદ દ્વારા ઓછી કરીએ. દશલક્ષણ પર્વમાં સુગંધદશમીનું વધુ મહત્ત્વ છે. એ દિવસે જૈન મંદિરોમાં સુગંધિત દ્રવ્યો દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે અને ભક્તિ રસનું અનુપમ વાતાવરણ બની જાય છે. સુગંધ વિકારોના નાશનું પ્રતીક છે અને ઉત્તમ સંસ્કારોને ગ્રહણ કરવાનું પણ પ્રતીક છે. અનંત ચતુર્દશી – જે પર્વના દસમા દિવસે આવે છે એ મહાન દિવસ છે કારણ કે એ દિવસ તીર્થંકર અનંતનાથની જન્મજયંતિ છે અને એના નામ પર આ ચતુર્દશીનું નામ અનંત ચતુર્દશી પડી ગયું. આજના યુગમાં પ્રાસંગિકતા : સંક્ષેપમાં પર્યુષણ પર્વ - શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓનું એક મહાન પર્વ છે. જેમાં આપણે આત્મસ્વભાવની આરાધના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને વિશેષ તપસ્યા, આધ્યાત્મિક જ્ઞાન-અર્જન અને ભક્તિ-પ્રક્રિયાથી જૈન ધર્મનાં ગુણતત્ત્વોને સમજીને પોતાના જીવનમાં વિધિવત્ ઉતારવાને માટે ઇચ્છાશક્તિ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ બધું થાય છે જ્ઞાની અને ભક્તિલીન સાધુ-સાધ્વીઓના સાંનિધ્યમાં જે તે સમયે ચાતુર્માસ વિતાવવા માટે આવ્યાં હોય છે. પર્યુષણ પર્વ વ્યક્તિ અને સમાજમાં એક અદ્ભુત સ્કૂર્તિ, ઉલ્લાસ અને પ્રેરણાનો સંચાર કરે છે અને ધર્મના સંસ્કારોના પોષણમાં વેગ લાવે છે. તેથી એ જરૂરી છે કે આપણે આધુનિક યુગમાં આ પર્વાધિરાજ મનાવવાની પરંપરાને 201 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy