________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
:
જીવંત રાખીએ. એ પ્રસન્નતાનો વિષય છે કે વિદેશોમાં વસેલો જૈન સમાજ પણ પર્યુષણ પર્વ ખૂબ ઉત્સાહ, ભક્તિ-વાત્સલ્ય અને સાધનાસેવાથી મનાવી રહ્યો છે અને આ અવસર પર સાધુ-સાધ્વીઓને ભારતમાંથી બોલાવીને એમના સત્સંગનો લાભ ઉઠાવી રહ્યો છે. આનાથી યુવા પેઢીમાં પણ વિદેશી વાતાવરણમાં હોવા છતાં પણ ધર્મ પ્રત્યે લાગણી વધી રહી છે.
એક પ્રાસંગિક વાતનો અહીં ઉલ્લેખ કરવો છે. પર્યુષણ પર્વમાં સ્વ-આત્મા પાસે જવાની અને એને જાણવાની પ્રેરણા મળે છે. સ્પષ્ટ છે કે બધા માટે કોઈ એક સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા કે અનુશાસન અથવા ધર્માદેશ જૈન ધર્મ નથી આપતો. તપ, ત્યાગ, સાધના, ઉપાસના બધી વ્યક્તિની મનમરજી, સ્વસંકલ્પ અને સ્વઆસ્થા પર આધાર રાખે છે. તપ અને ત્યાગ એણે હર્ષ, ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા જોઈએ. તપ અને ત્યાગ પ્રદર્શન માટે નથી.
પુસ્તક ‘મહાવીર જીવન'માં લેખક કટારિયાએ ખૂબ સારગર્ભિત રૂપમાં લખ્યું
છે : “હવે તમે કેટલું છોડો, ક્યારે છોડો અને કઈ રીતે છોડો - એ તો તમે જ નક્કી કરો. એનો કોઈ એક માપદંડ ન હોઈ શકે, ન તો ઉ૫૨થી લદાયેલો કાનૂન મનુષ્યને અંદરથી માંજે (સ્વચ્છ કરે). અંદરથી તો તે ત્યારે મંજાશે જ્યારે તે પોતાની મર્યાદાઓ સ્વયં નક્કી કરશે. પરંતુ એક વાત સાફ છે કે માત્ર પોતાની કાયાથી જોડાયેલો ત્યાગ સાથ નહીં આપે. એ સંયમ દરેક વસ્તુના ઉપભોગની સાથે જોડવો જોઈએ. તે તમારા પડોશી સાથે જોડવો જોઈએ, મહોલ્લાથી જોડવો જોઈએ, ગામ સાથે જોડવો જોઈએ અને સંપૂર્ણ સૃષ્ટિના પ્રાણીજગત સાથે જોડવો જોઈએ.”
સંદેશ એ છે કે પર્યુષણ પર્વ આપણા હૃદયમાં આત્મકલ્યાણની ભાવના સાથે સામાજિક નિસબત પણ જગાવે જેનાથી આપણે જૈન ધર્મના મહાન સિદ્ધાંતોને સમાજના નૈતિક જીવનનો માપદંડ અને દિશાદર્શક બનાવી શકવામાં સમર્થ બનીએ. પર્યુષણપર્વમાં પ્રતિબિંબિત છે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિ જે આપણને આત્મકલ્યાણ અને સમાજસેવા બંને ક્ષેત્રો તરફ જાગ્રત અને સંકલ્પવાન બનાવે છે.
Jain Education International
202
For Personal & Private Use Only
www.jainelibrary.org