SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ હળવો કરી દે છે. વિપુલ સંપત્તિ હોવા છતાં પણ એમાં મૂછનું ન હોવું, અકિંચન્ય ધર્મ છે. મમત્વ અને સ્વામિત્વનું વિસર્જન આકિંચન્ય ગુણ વિકસિત કરે છે. આકિંચન્યની અનુભૂતિ બહુ જ દુર્લભ ગુણ છે. (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય : બ્રહ્મચર્ય ક્ષમાથી અકિંચન્ય સુધીની ચિત્તવૃત્તિઓનું સંકલિત રૂપ છે. બીજા શબ્દોમાં બ્રહ્મચર્ય, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શુદ્ધતા, સંયમ, તપ, ત્યાગ અને આકિંચન્યનો મહાયોગ છે. બ્રહ્મચર્યપાલન એક કઠોર સાધના અને ઘોર તપ છે. આના માટે માત્ર શરીર પર જ નહીં, મન, વાણી, ઇન્દ્રિયો અને કર્મ પર પણ નિયંત્રણ રાખવું આવશ્યક થઈ જાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ – આ ચાર ઇચ્છાઓ પ્રાણીઓને સ્વ-આત્મની ઊર્જા અને અવાજથી દૂર લઈ જાય છે. બાહ્ય રસ, ગંધ, સ્પર્શ અને ભૌતિક આકર્ષણમાં આપણે ખોવાઈ જઈએ છીએ. બ્રહ્મચર્ય આપણને સમ્યક્ પથ પર પાછા લાવીને આત્મહત્ત્વના સૌંદર્ય અને મધુર ઊંડાણની સમીપ લાવે છે. બ્રહ્મચર્ય આપણને પુન: આત્મકેન્દ્રિત કરી દે છે. બ્રહ્મચર્યની આ વ્યાપક અર્થની પરિધિમાં કામભોગ પર નિયંત્રણ પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે કામ-દોષ અને લાલસા આત્માના સદ્ગણોનો નાશ કરે છે. નૈતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે અને આત્મજાગરણમાં વિકટ મુશ્કેલીઓ ઊભી કરે છે. પરંતુ કામભોગનો ત્યાગ માત્ર બ્રહ્મચર્ય નથી, તે તો એનો એક વ્યાવહારિક પ્રકાર છે. ખરું જોતાં “બ્રહ્મચર્યનું મૂળ તાત્પર્ય છે “બ્રહ્મ' એટલે “આત્મા' “ચર્ય” એટલે “ચર્યા' અર્થાત્ આત્માની સેવા, આત્માની સાધના, આત્માને ઓળખવો, આત્મસ્થ થવું. જ્યારે આપણે સમ્યકુચારિત્રના યોગ્ય વિકાસની તરફ આગળ વધીએ છીએ ત્યારે બ્રહ્મચર્યનું સર્વાગી રૂપ નીખરે છે. બ્રહ્મચર્ય ગુણ સમત્વથી પૂર્ણ છે અને શોષણથી બિલકુલ પર. ભગવાન મહાવીરે આ ગુણતત્ત્વને દૃષ્ટિસમક્ષ રાખીને જ બ્રહ્મચર્યને પાંચમા મહાવ્રત તથા અણુવ્રતના રૂપમાં જોડી દીધું. દશલક્ષણ પર્વમાં ઉપવાસ, સ્વાધ્યાય, સામાયિક, વંદના, પ્રતિક્રમણ, અભિષેક, પૂજન, સ્તવન, ધાર્મિક સંગોષ્ઠિઓનું આયોજન અને પરોપકારી કામ કરવું મુખ્ય ક્રિયાકલાપ હોય છે જે ધર્મના ઉત્તમ સંસ્કારો સાધકના હૃદયમાં મજબૂત કરે છે. 200 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy