________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
છે. આ રીતે દશલક્ષણ પર્વ ક્ષમાથી શરૂ થઈને ક્ષમામાં અંત પામે છે. ખરેખર ક્ષમા અહિંસા ધર્મના આદિ અને અંતમાં સમાયેલી છે; અહિંસાની આધારશિલા છે
ક્ષમાભાવ.
(૧) ઉત્તમ ક્ષમા ઃ
આત્મશુદ્ધિનું સર્વોત્તમ સાધન છે ક્ષમાભાવ. ક્ષમાભાવથી સહનશીલતા, સૌહાર્દ અને ઉદાર દૃષ્ટિકોણ વધે છે, દુરાગ્રહ ઘટે છે, ધૈર્ય અને સહિષ્ણુતા પ્રબળ બને છે, અહંકારનો નાશ થાય છે, ક્રોધભાવના નાશ પામે છે અને અહિંસાના સંસ્કાર ગતિશીલ બને છે. રાગદ્વેષ દૂર કરવામાં ક્ષમા ઘણી સહાયક બને છે. ક્ષમાથી તનમનની આકુળતાવ્યાકુળતા ખતમ થાય છે અને આત્મામાં સ્થિરતા, ધીરતા, સાહસ, વિશ્વાસ અને સાત્ત્વિક ભાવોનો સંચાર થાય છે. જૈન સાધુસાધ્વીઓ અને શ્રાવકવર્ગ ચોર્યાસી લાખ જીવયોનિઓ પાસે પોતાનાથી જાણે અજાણે થયેલા અપરાધો અને વિચાર, આચાર, વ્યવહાર અને અભિવ્યક્તિમાં થયેલી ભૂલો અને દુર્ભાવનાઓને માટે ક્ષમાયાચના કરે છે. આગમોમાં કહેવામાં આવ્યું છે :
“જે મનુષ્ય વ્યાવહારિક કાર્યોમાં અથવા પોતાની આધ્યાત્મિક સાધનામાં કષ્ટનાં બધાં કારણો ઊભા હોવા છતાં પણ કોપ કરતો નથી, કોઈને પણ હાનિ પહોંચાડતો નથી એની જ સાચી ક્ષમા છે. કટુતા અને કઠોરતાથી વિચલિત થયા વગર એને સમભાવથી સહન કરી લેવી એ ઉત્તમ ક્ષમા છે. ક્ષમા પૃથ્વી સમાન માતા છે.”
તીર્થંકરોએ સાધુઓને માટે તો વિશિષ્ટ ક્ષમાભાવનું દૃઢ વિધાન કર્યું છે. શાસ્ત્ર કહે છે : ‘હે સાધુઓ, તમારાથી કોઈ પ્રકારનો અપરાધ થયો હોય તો બધા કામ છોડી દો અને સૌથી પહેલાં ક્ષમા માગો.’
ભગવાન મહાવીરે કહ્યું છે :
“खामेमी सव्वे जीवा, मित्ति मे सव्वभूएषु वेर
એ ક્ષમાભાવમાં મન નિર્મળ,
Jain Education International
सव्वे जीवा खमंतु मे । मभ - झम न के गई ।।" કપટ અને દંભ વગરનું હોવું જોઈએ.
190
For Personal & Private Use Only
www.jainelibrary.org