________________
પર્યુષણ પર્વ
ક્ષમાભાવનું આદાનપ્રદાન સહર્ષ અને નિસ્વાર્થ રૂપે કરવાથી મૈત્રીભાવ અને સામાજિક સુમેળ વધે છે. સાચી ક્ષમામાં અસીમ શક્તિ અને ઊર્જા હોય છે. માટે કહેવામાં આવ્યું છે :
kk
“क्षमा खड्ग करे यस्य, दुर्जनः किं करिष्यति 1 अत्र मे पतितो वन्हि, स्वयमेव प्रशाक्य
יון
અર્થાત્ જેની પાસે ક્ષમા છે, દુર્જન પણ એને હાનિ નથી પહોંચાડી શકતો. જ્યાં સળગે એવો પદાર્થ જ ન હોય ત્યાં અગ્નિ પડે તો પણ તે પોતાની જાતે જ શાંત થઈ જાય છે.
આ રીતે ક્ષમાના ગુણને હૃદયસ્થ કરવો એ જીવનને પરમ નિર્મળ બનાવવાની અને આત્મશુદ્ધિની ત૨ફ જવા માટેની એક અતિવિશિષ્ટ કલા છે; તેની આધ્યાત્મિક શક્તિ અપાર છે.
શ્વેતાંબર પરંપરામાં સંવત્સરી અને દિગંબર પરંપરામાં ક્ષમાવાણી અદ્ભુત પર્વ છે જે પર્યુષણ પર્વની સમાપ્તિએ આવે છે. અરસપરસની ક્ષમાયાચના, પોતાની જાત સાથે ક્ષમાયાચના આત્માના બારણાને ખોલી દે છે અને સમાજમાં સહજ વાત્સલ્ય અને સુમેળનું વાતાવરણ જાગ્રત કરી દે છે. (૨) ઉત્તમ માર્દવ :
Jain Education International
‘મૃદોભવ: માર્દવમ્’ અર્થાત્ મૃદુતાનો ભાવ રાખવો માર્દવ છે. મૃદુતા હોય છે ચિત્તની, વિચારની, વાણીની અને કર્મની. જૈન આગમ કહે છે કે ‘ઇનસ્ત વિનઓનૂનં' (અર્થાત્ ધર્મનું મૂળ વિનય છે). માર્દવ શબ્દ ‘મૃદુ’થી વ્યુત્પન્ન છે. માર્દવ ચિત્તમાં કોમળતાને અને વ્યવહારમાં નમ્રતાને પ્રતિબિંબિત કરે છે. માર્દવગુણના પોષણને માટે જરૂરી છે કે જાતિ, કુળ, ધન, વૈભવ, સત્તાબળ, બુદ્ધિબળ, અહંકાર, અભિમાન વગેરેના મદનો ત્યાગ કરવો.
એક કવિએ બરાબર જ કહ્યું છે :
'पत्थर अहं का क्या करें गलता ही नहीं;
सब दीप जलते हैं, मगर मन का दीप जलता ही नहीं;
191
For Personal & Private Use Only
www.jainelibrary.org