SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ? વારસો અને વૈભવ કાયોત્સર્ગ. ચોથા દિવસે શ્રી કલ્પસૂત્રનું વાંચન. ભગવાન મહાવીરના છઠ્ઠા પટ્ટધર ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી દ્વારા રચિત કલ્પસૂત્રની રચના પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ધતદશાશ્રુત સ્કંધ સૂત્રના આઠમા અધ્યયનના રૂપમાં છે. આમાં ભગવાન મહાવીરના ૨૩ પૂર્વ ભવોનું વર્ણન છે અને ૨૭ ભવમાં માતા ત્રિશલાદેવીનાં ચૌદ સ્વપ્નો, ભગવાન મહાવીરનું ગર્ભમાં આવવું અને ધર્મનિષ્ઠ અને પાર્શ્વનાથના ભક્ત ક્ષત્રિય રાજકુળમાં જન્મ લેવો. પાંચમો દિવસ કલ્પસૂત્રનો બીજો દિવસ છે. આ દિવસે કલ્પસૂત્રના વાચનમાં ચૌદ સ્વપ્નોનો દિવ્ય સંદેશ સમજવામાં આવે છે અને મહાવીર ભગવાનનું જન્મવાચન કરવામાં આવે છે. કેટલાક ધર્મનિષ્ઠ લોકો ઘરે પારણું લાવીને ધર્મલાભ લે છે. છઠ્ઠા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં વર્ણન આવે છે. મહાવીરની બાલ્યાવસ્થાના દિવ્ય પ્રસંગોનું, યુવાવસ્થામાં વધતી વૈરાગ્ય પ્રવૃત્તિના લક્ષણ, દીક્ષા, કઠોર તપ અને સાધના, કેવળજ્ઞાનપ્રાપ્તિથી લઈને સંપૂર્ણ દેશભ્રમણ કરીને ધર્મપ્રસાર અને અંતમાં નિર્વાણનો પ્રસંગ. સાતમા દિવસે કલ્પસૂત્રમાંથી તીર્થકર ઋષભદેવ, નેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનનાં જીવનચરિત્ર સંભળાવવામાં આવે છે અથવા વાંચવામાં આવે છે, જેનાથી આપણને તીર્થકરોનાં પદચિહ્નો પર ચાલવાની પ્રેરણા મળે. આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ મનાવવામાં આવે છે. એ દિવસે બધા જીવો સાથે ખમત ખામણા કરવામાં આવે છે. આ અવસર પર પરસ્પર અભિવાદન “મિચ્છા મિ દુક્કડમ્'થી થાય છે. આ રીતે આઠે દિવસોમાં કલ્પસૂત્ર અને અન્ય ધર્મગ્રંથોનું નિયમિત વાચન થાય છે અને સંતગણ એનો અર્થ સમજાવીને તીર્થકરોના જીવનના મહાભ્યને દર્શાવે છે. તીર્થકરોની તપસાધના, દીક્ષા, કેવળજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણના પ્રસંગોનાં વર્ણન દ્વારા જૈન તત્ત્વજ્ઞાન સ્પષ્ટ રીતે સાધારણ વ્યક્તિને સમજાવવામાં સાર્થક બને છે. 188 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy