SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પર્યુષણ પર્વ જૈન ધર્મમાં પર્યુષણ પર્વને પર્વાધિરાજની સંજ્ઞા આપવામાં આવી છે. જૈન પર્વોમાં બે પ્રકાર છે : (૧) નિત્ય અને (૨) નૈમિત્તિક. નિત્યમાં આવે છે પર્યુષણ અને અષ્ટાહ્નિકા અને નૈમિત્તિકમાં મુખ્ય આવે છે ઋષભજયંતિ, મહાવીર જયંતિ, તીર્થંકર કલ્યાણક (ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ), મહાવીર નિર્વાણ (દીપાવલી), અક્ષયતૃતીયા, જ્ઞાનપંચમી, વી૨ શાસન દિવસ અને રક્ષાબંધન. અષ્ટાહ્નિકા વર્ષમાં ત્રણ વા૨ ક્રમશ: અષાઢ, કારતક અને ફાગણ મહિનામાં આવે છે. આમ તો શાસ્ત્ર પ્રમાણે પર્યુષણ પર્વ પણ વર્ષમાં ત્રણ વાર ચૈત્ર, ભાદરવો અને માહમાં આવે છે. પરંતુ પરંપરાથી તે ભાદરવામાં મનાવવામાં આવે છે. પહેલા આઠ દિવસ (શ્રાવણ વદ ૧૩થી ભાદરવા સુદ ૫) શ્વેતાંબર પર્યુષણ મનાવવામાં આવે છે અને સામાન્યતઃ એ સમાપ્ત થાય છે સંવત્સરી પર્વના દિવસે. જ્યારે એ દિવસે દસ દિવસના દિગંબર પર્યુષણ (દશલક્ષણ) પર્વનો પ્રારંભ થાય છે અને તે દસમા દિવસે અનંત ચૌદશના દિવસે પૂરા થાય છે. એક દિવસ પછી ક્ષમાવાણી પર્વ મનાવવામાં આવે છે. કેટલાંક સ્થળોએ ક્ષમાવાણીના દિવસે અથવા એની આસપાસ શ્વેતાંબર Jain Education International 183 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy