________________
જૈન ધર્મની પ્રાચીનતા
વર્ષ પ્રાચીન શિલાલેખો મળી આવ્યા છે. જેમાં એવો ઉલ્લેખ છે કે મગધનો રાજા નંદ ઈ. સ. પૂર્વે ૪૨૩માં કલિંગમાં જીત મેળવી ઋષભદેવની મૂર્તિ ઉઠાવી ગયો હતો. તે પ્રતિમા ખારવેલે મગધ પર ચડાઈ કરીને પાછી મેળવી હતી. ખારવેલના શિલાલેખના અવશેષોથી એ પણ જણાય છે કે ઉદયગિરિમાં પ્રાચીન અરિહંત મંદિર હતું.
પંડિત બાલગંગાધર તિલકે કહ્યું :
“ગ્રંથો તથા સામાજિક અભ્યાસ વડે જાણી શકાય છે કે જૈન ધર્મ અનાદિ છે. આ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે. આ વિષયની ઇતિહાસમાં દૃઢ સાબિતીઓ છે. બૌદ્ધ ધર્મ પાછળથી થયો અને બૌદ્ધ ધર્મનાં તત્ત્વોમાં જૈન ધર્મનાં તત્ત્વોનું અનુકરણ છે.”
પોતાના પુસ્તક “જૈન ધર્મ ઔર દર્શનમાં મુનિ શ્રી પ્રમાણસાગરજી મહારાજે ઋગ્વદમાં કેશીની સ્તુતિને ઋષભદેવ સાથે જોડી છે, કારણ કે એમના જટાધારી હોવાનો ઉલ્લેખ પદ્મપુરાણ અને હરિવંશ પુરાણ વગેરેમાં તો છે જ, પણ એની સાથે સાથે કેટલીય પ્રાચીન પ્રતિમાઓમાં એમને જટાધારી દર્શાવવામાં આવ્યા પણ છે. ટ્વેદમાં “કેશીના ગુણોનો ઉલ્લેખ ઋષભદેવના અરિહંત પદ સાથે મેળ ખાય છે. કેશી અગ્નિ, જલ, સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરે છે. કેશી સમસ્ત વિશ્વનાં તત્ત્વોનું દર્શન કરાવે છે. એની જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાનરૂપ છે.
આ સંબંધમાં પં. નીલકંઠ શાસ્ત્રીએ સ્વરચિત ગ્રંથ “ઉડીસા મેં જૈન ધર્મમાં જૈન ધર્મને પ્રાચીન ગણાવી દ્રવિડોને જૈનો સાથે જોડ્યા છે. તેઓ લખે છે : “જૈન ધર્મ સંસારનો મૌલિક અધ્યાત્મ ધર્મ છે. આ દેશમાં વૈદિક ધર્મ આવ્યો તે પહેલાંના ઘણા સમયથી અહીં જૈન ધર્મ પ્રચલિત હતો. સંભવ છે કે પ્રાન્વેદિક કાળમાં કદાચ દ્રવિડોમાં આ ધર્મ હતો.”
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સિંધુ ખીણના લોકોની ભાષા પ્રાકૃત હતી, જે જનસામાન્યની ભાષા હતી. જેનો અને હિંદુઓમાં ભાષાનો મોટો તફાવત છે. જેનોના બધા પ્રાચીન ગ્રંથો પ્રાકૃતમાં છે, મુખ્યત્વે અર્ધમાગધીમાં; જ્યારે હિંદુઓના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org