________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ લખે છે :
“આ શોધખોળોથી જૈન પરંપરાને વધુ સમર્થન મળ્યું છે. આ એ વાતનું સ્પષ્ટ અને નિશ્ચિત પ્રમાણ છે કે જૈન ધર્મ પ્રાચીન છે. ઈસવીસનના પ્રારંભમાં પણ ચોવીસ તીર્થંકર પોતપોતાનાં ચિહ્નો સાથે નિશ્ચયપૂર્વક માનવામાં આવતા હતા.”
આ સંબંધમાં વિખ્યાત વિચારક અને હિંદીના મહાન કવિ રામધારીસિંહ દિનકર પોતાના પુસ્તક “સંસ્કૃતિના ચાર અધ્યાયમાં લખે છે :
“મોહેં-જો-દરોના ખોદકામમાં યોગનાં પ્રમાણ મળે છે અને જૈન માર્ગના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સાથે યોગ અને વૈરાગ્યની પરંપરા વણાઈ ગઈ છે; જે કાળાંતરે શિવની સાથે શક્તિરૂપે સંયોજિત થઈ. આ દૃષ્ટિએ કેટલાય જૈન વિદ્વાનોનું માનવું અતિશયોક્તિવાળું નથી કે ઋષભદેવ વિશે વેદોમાં લખાયેલું હોવા છતાં તે વેદથી પણ પૂર્વે થયેલા છે.”
પોતાના પુસ્તક “ભારતીય ધર્મ એવં સંસ્કૃતિમાં ડૉ. બુદ્ધિપ્રકાશે લખ્યું છે ? મહાભારતમાં વિષ્ણુનાં સહસ્ત્ર નામોમાં શ્રેયાંસ, અનંત, ધર્મ, શાંતિ અને સંભવ નામ આવે છે અને શિવનાં નામોમાં ઋષભ, અજિત, અનંત અને ધર્મ મળે છે. વિષ્ણુ અને શિવ બંનમાં એક નામ “સુવ્રત' આપવામાં આવ્યું છે. આ બધાં નામો તીર્થકરોનાં છે. લાગે છે કે મહાભારતના સમન્વયપૂર્ણ વાતાવરણના સમયમાં તીર્થકરોને વિષ્ણુ અને શિવના રૂપમાં સાબિત કરીને ધાર્મિક એકતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે. આનાથી તીર્થકરોની પરંપરા પ્રાચીન હોવાનું સિદ્ધ થાય છે.”
મેજર જનરલ ફ્લેમિંગ પોતાના પુસ્તક “ધર્મો કા તુલનાત્મક ઇતિહાસમાં લખે છે :
જ્યારે આર્ય લોકો ભારત આવ્યા ત્યારે એમણે જૈન ધર્મનો વ્યાપક પ્રભાવ જોયો.”
ઓરિસાની પ્રસિદ્ધ ખંડગિરિ અને ઉદયગિરિની હાથી-ગુફાઓમાં ૨૧૦૦ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org