SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નમોકાર મંત્રનું મહાભ્ય હેમચંદ્રાચાર્ય અને શુભચંદ્રાચાર્યએ મહામંત્રમાંથી ષોડશાક્ષરી વિદ્યા” (સોળ પરમ અક્ષરોવાળા) મંત્ર ઉદ્ધાર્યો છે. “અરિહંત - આયરિય - વિઝાય - સાહૂ આ ૧૬ અક્ષરોવાળો મંત્ર અત્યંત જ્યોતિર્મય છે. આચાર્ય માનતુંગ લખે છે કે એકાગ્રધ્યાનમાં અરિહંતનો રંગ સફેદ, સિદ્ધનો લાલ, આચાર્યનો સ્વર્ણ, ઉપાધ્યાયનો નીલમણિ સમાન અને સાધુઓનો શ્યામવર્ણ કલ્પનામાં દેખાય છે. શાસ્ત્રોમાં મહામંત્ર સાધનાની કેટલીય વિધિઓનું વર્ણન થયેલું છે. એમાં મુખ્ય છે આત્મશુદ્ધિમંત્ર, શુદ્ધિમંત્ર, આત્મરક્ષામંત્ર, લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, મનોકામના પૂર્તિમંત્ર, વિદ્યાપ્રાપ્તિ મંત્ર, વશીકરણ મંત્ર, શત્રુ, ભૂત, ભયનિવારણ મંત્ર, રોગનિવારણ મંત્ર, બંદીખાના મુક્તિ મંત્ર, સુખ-સૌભાગ્ય પ્રાપ્તિકારક મંત્ર, સંકટનિવારણ મંત્ર, પ્રેમભાવવર્ધક મંત્ર, વિજયકારી મંત્ર, સર્વ સુખ સૌભાગ્યકારી મંત્ર તથા સિદ્ધ વિશેષ મંત્ર (“ૐ અ સિ આ ઉ સા નમ:') આચાર્યશ્રી મહાપ્રજ્ઞએ પોતાના પુસ્તક “નમસ્કાર મહામંત્ર” પર ધ્યાન પ્રયોગમાં ખૂબ જ સારગર્ભિતરૂપે નમોકાર મંત્રના મહાભ્યનું વિવેચન કર્યું છે. નમોકાર મંત્રનાં ચાર મુખ્ય તત્ત્વો : શબ્દ, ધ્વનિ, સંકલ્પ-શક્તિ તથા શ્રદ્ધા પર ચિંતન આ મહામંત્રના ઊંડાણ સુધી લઈ જાય છે. “શબ્દ અને અર્થમાં થોડું અંતર હોય છે. ધ્વનિ અર્થની કંઈક નજીક જાય છે. પરંતુ જેમ જેમ સંકલ્પશક્તિ દૃઢ થાય છે, ભાવનાનો પ્રયોગ થાય છે, ધ્વનિ સૂક્ષ્મ થતો રહે છે ત્યારે શબ્દ અને અર્થનું અંતર ઓછું થતું જાય છે. જ્યાં શબ્દ, ધ્વનિ અને સંકલ્પશક્તિ ત્રણેનો યોગ થાય છે, ત્યાં મંત્રની શક્તિ જાગ્રત થાય છે, મંત્રનો પૂરો પ્રભાવ પ્રગટ થાય છે. જ્યારે મંત્ર પ્રત્યે આપણા હૃદયમાં અખંડ શ્રદ્ધાભાવ હોય ત્યારે ચિત્ત એકાગ્ર બની જાય છે, શ્રદ્ધા ચિંતનને વિશ્વાસમાં બદલી નાખે છે અને આત્મિક ઊર્જા તન, મન, મસ્તિષ્ક, હૃદય – આપણા પૂરા વ્યક્તિત્વને ચૈતન્યમય બનાવી દે છે. આ મહામંત્ર દ્વારા ઇચ્છાઓની પૂર્તિ થતી નથી, બલ્ક ઇચ્છાઓનો સ્રોત જ સુકાઈ જાય છે. મંત્ર આપણને કામનાના ધરાતલથી ઊંચે ઉઠાવી લે છે. વિદેશીઓને મંત્રના અનુપમ અનુભવ થયા છે. પ્રસ્તુત છે બે ઉદાહરણ : જૈન ધર્મથી પ્રભાવિત પૅરિસ (ફ્રાન્સ)ના શ્રી અને શ્રીમતી સિમોનિન જ્યારે ગુરુદેવ ચિત્રભાનુજીની સાથે ૧૯૭૦માં જૈનતીર્થયાત્રા પર આવ્યાં ત્યારે “નમોકાર 179 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy