________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
મંત્રના પાઠથી એમને ચરમ શાંતિ અને આત્મ-તૃપ્તિનો અનુભવ થયો. એમના જ ગ્રૂપના સુશ્રી રોશિતા (રશ્મિ) લખે છે :
નમોકાર મંત્રને લયથી અને સંપૂર્ણ આલાપથી ઉચ્ચારિત કરવાથી હૃદય અદ્ભુત પ્રેમ અને આનંદથી ભરાઈ જાય છે. હું મારી જાતને સદ્ભાગી માનું છું કે મને આ પ્રાચીન અને શક્તિદાયક મહામંત્રને ગાવાનો અને એને રેકોર્ડ કરવાનો અપૂર્વ અવસર મળ્યો. ગાયન સમયે મને સંપૂર્ણત્વનો - આવો ભાવોદ્રેકપૂર્ણ અનુભવ ક્યારેય થયો નહોતો. પછીથી મેં જ્યારે આ મંત્રને ગિટાર પર વગાડ્યો તો મને અને મારા સાથી સંગીતકારને લાગ્યું કે અમારા અંતરમાં દિવ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે. માટે મેં નમોકાર મંત્રના મારા આલ્બમનું શીર્ષક “પ્રકાશનું કિરણ આપ્યું છે.”
અમેરિકાની સુશ્રી જેન હાઇન (જાગૃતિ) કહે છે :
“હું દરરોજ ભવ્ય નમોકાર મંત્રનો પાઠ કરું છું. એનાથી મને આત્મિક અનુભૂતિ થાય છે અને મને લાગે છે કે પાશ્ચાત્ય દુનિયામાં આપણે શા માટે ભૌતિક સંપત્તિની પાછળ દોડ લગાવીએ છીએ ? મંત્ર આપણને એ સંસારમાં લઈ જાય છે જ્યાં શાંતિ અને તૃપ્તિનું સામ્રાજ્ય છે અને જ્યાં અનંત આનંદ છે.”
આચાર્ય સુશીલકુમારજી કહેતા કે “નમોકાર મંત્રના મૂળ રૂપમાં ધ્વનિ અને વિચાર બંને એકબીજાના અંતરંગમાં લીન છે. જો સાત્ત્વિક ભાવના તથા ધ્વનિવિજ્ઞાનનું અનુસરણ કરીને નમોકાર મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે તો તે અદ્ભુત આત્મિક ઊર્જા પેદા કરી શકે છે.” ૧૯૯૨માં મેં આનો પ્રત્યક્ષ પ્રયોગ જોયો. આચાર્ય સુશીલકુમારજી અને મને બ્રાઝિલના શહેર રિયો ડિ જાનેરોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના દ્વિતીય વિશ્વ પર્યાવરણીય શિખર સંમેલનમાં સમાજની ચૂંટેલી ૬૦ પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ સમયે એ સંમેલનની સાથે સંસદીય નેતાઓ અને આધ્યાત્મિક સંતો અને વિદ્વાનોનું એક શિખર સંમેલન બ્રાઝિલ સંસદના વિશાળ હૉલમાં રાખવામાં આવ્યું હતું. ઊંચા ગુંબજવાળા આ હૉલમાં જ્યારે આચાર્ય સુશીલકુમારજીએ સંમેલનના પ્રારંભમાં નમોકાર મંત્રનો ધ્વનિ પ્રભાવક વાણીમાં કર્યો ત્યારે જાણે સર્વત્ર પરમ શાંતિ વ્યાપી ગઈ, આખો શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયો અને એવું લાગ્યું કે આધ્યાત્મિક ઊર્જાની ગંગા જાણે વહી રહી છે.
180
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org