________________
નમોકાર મંત્રનું મહાત્મા
શીખવે છે. અગિયાર અંગ અને બાર ઉપાંગ આદિ શ્રુતજ્ઞાન (ગણિપિટક) જૈન ધર્મના જ્ઞાનનો મૂલાધાર છે. ઉપાધ્યાયનું ઉત્તરદાયિત્વ છે આ જ્ઞાનનું ઊંડું અધ્યયન કરવું અને ઉદારતાથી બીજાને અધ્યયન કરાવવું. આ પદનું ઉચ્ચારણ | જાપ જ્ઞાન તથા વિદ્યાનો અલખ જગાડે છે. નમો લોએ સવ્વ સાહૂણં :
એ બધા સાધુઓ, સંતો અને મુનિઓને નમસ્કાર જે સાંસારિક મોહ-માયાનાં બંધનોનો ત્યાગ કરીને આત્મસાધનાના પથ પર ચાલી રહ્યા છે અને જે શ્રાવક સમાજને માટે સહુથી નજીકના આધ્યાત્મિક પુરુષ છે, જે સતત તપસ્યા, વ્રત, સંયમ અને ધર્મ અધ્યયનમાં લીન બનીને ક્રમશ: ઉપાધ્યાય અને આચાર્યપદ તરફ જઈ રહ્યા છે. મુનિ અથવા સાધ્વી બનતી વખતે પાંચ મહાવ્રત ધારણ કરવાં પડે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ. શાસ્ત્રોમાં સાધુના ૨૭ ગુણ બતાવવામાં આવ્યા છે.
(૧-૫) પાંચ મહાવ્રતોના ધારક (૯-૧૦) પાંચ ઇન્દ્રિયો પર સંપૂર્ણ સંયમધારી (૧૧-૧૪) ચાર કષાયોને જીતનારા (૧૫) ભાવસત્ય – ભાવોમાં સદા સત્યની નિષ્ઠા (૧૩) કરણ સત્યક્રિયા - વ્યવહારમાં સદા સત્ય આચરણ (૧૭) યોગસત્ય - વાચિક | કાયિક ક્રિયામાં એકરૂપતા (૧૮) મનઃ સમધારણતા - મનથી સદા સમાધિયુક્ત સંતોષ (૧૯) વચન-સમધારણતા - વચનથી સદા સંયમી અને વિવેકપૂર્ણ (૨૦) કાય-સમધારણતા શરીરથી સંયમમાં પ્રવૃત્તિમાન (૨૧) ક્ષમાશીલ (૨૨) વૈરાગ્યભાવના યુક્ત (૨૩-૨૫) સમ્યકજ્ઞાન, દર્શન તથા ચારિત્રની સાધનામાં તલ્લીન (૨૩) વેદના અને પીડાને સમભાવપૂર્વક સહન કરનાર (૨૭) મૃત્યુ-ભયથી મુક્ત – નિર્ભય મનવાળા
T
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org