________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
નમો આયરિયાણં :
એ બધા આચાર્યોને નમસ્કાર જે સંસારમાં પોતાના જીવનકાળમાં વરિષ્ઠ ધર્મગુરુના રૂપમાં માત્ર સ્વઆત્મશુદ્ધિ માટે સતત સાધનામાં ન લાગી રહ્યા પરંતુ સાથે સાથે પોતાનાં જ્ઞાન, સંચેતના, આત્મશક્તિનો લાભ સમગ્ર સમાજને અને પોતાના સંઘાડાના શિષ્યોને દિશાદર્શનના રૂપમાં આપતા રહે છે. ધર્મનાં તત્ત્વો ૫૨ એમની વ્યાખ્યાઓ અને સ્પષ્ટીકરણ સિદ્ધાંતોને સમજવા અને પાલન કરવામાં સફળતા આપે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને ધર્મનો ઉપદેશ આપવો, સદાચાર, સંયમનિયમ, આત્માનુશાસનનું પાલન કરવું તથા કરાવવું એ આચાર્યોની જવાબદારી છે. આચાર્ય ધર્મ સંઘના અગ્રણી સ્તંભ છે. આચાર્યોમાં ૩૬ ગુણ આવશ્યક માનવામાં આવ્યા છે.
(૧-૫) પાંચ ઇન્દ્રિયો પર સંયમ.
(૬-૧૪) નવ ગુપ્તિઓ સાથે બ્રહ્મચર્યપાલન.
(૧૫-૧૮) ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયો પર વિજય મેળવવો.
(૧૯-૨૩) પાંચે મહાવ્રતોનું પાલન કરવું.
(૨૪-૨૮) જ્ઞાનાચા૨ આદિ પાંચ આચારોનું પાલન.
(૨૯-૩૩) ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિઓના ધારક. (૩૪-૩૬) મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિના ધારક.
આ ગુણો સિવાય આચાર્યોમાં સમયજ્ઞતા, પ્રભાવક પ્રવચનશક્તિ, જિનશાસન પ્રભાવના વગેરે અનેક વિશિષ્ટતાઓ પણ હોય છે. આ પદના ઉચ્ચારણથી હૃદયમાં સદાચારનો દૃઢ સંકલ્પ અને ધાર્મિક વૃત્તિનું મનોબળ જાગ્રત થાય છે.
નમો ઉવજ્ઝાયાણં :
એ ઉપાધ્યાયોને નમસ્કાર જે આધ્યાત્મિક વરિષ્ઠ ગુરુજન છે અને જે મુનિઓ, સાધ્વીઓ, સજ્જનોને પોતાની સતત ચાલતી સાધના અને જ્ઞાનદર્શનનો લાભ આપે છે અને એમને શાસ્ત્રોની વ્યાખ્યા તથા ધર્મનું તત્ત્વજ્ઞાન
Jain Education International
176
For Personal & Private Use Only
www.jainelibrary.org