________________
નમોકાર મંત્રનું મહાત્મ્ય
અરિહંત થવા ઇચ્છીએ તો બની શકીએ છીએ કારણ કે જેઓને અરિહંત પદ પ્રાપ્ત થયું તે એમની સતત અને અતૂટ સાધનાથી માનવજીવનના અધિકાળમાં જ થયું. અરિહંત આપણા એવા આદર્શ છે જે આ સંસારમાં જન્મ્યા અને પોતાની સાધનાનું કાર્યસ્થળ બનાવી અને અહીંથી જ નિર્વાણ પ્રાપ્ત કરીનેં જીવન-મરણના ચક્કરથી છુટકારો મેળવીને સિદ્ધ થઈ ગયા.
નમો સિદ્ધાણં :
એ બધા સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર જેમણે નિર્વાણપ્રાપ્તિ બાદ બંધા કર્મબંધનોથી મુક્ત થઈને પોતાના આત્માનું અમરત્વ મેળવ્યું. સાંસારિક જીવનમરણના ક્રમથી મુક્ત થઈ જેમણે ત્યાગ, સાધના તથા અંતમાં આત્મવિજયની ઉપલબ્ધિ કરી તેઓ માનવ સમાજને ધ્રુવતારાની જેમ ચમકીને યુગો યુગો સુધી પ્રેરણા અને દિશા દર્શન આપતા રહેશે. સિદ્ધ, જન્મમરણ રૂપ સંસારથી સર્વથા અને સર્વદા મુક્ત થઈ જાય છે. એક કવિએ કહ્યું છે :
" सिद्धा जैसी जीव है, जीव सोही सिद्ध होय; कर्म-मैला आंतरा, बुझे बिरला હોય.”
સિદ્ધાત્મા સંસારમુક્ત થઈને લોકના સર્વોચ્ચ અગ્રસ્થાન પર અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા પર જ્યોતિર્મય રૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. આ પદનું ઉચ્ચારણ કરીને શ્રાવકની શ્રદ્ધા સિદ્ધના જ્યોતિર્મય રૂપ પર કેન્દ્રિત થાય છે. સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટે ચોવીસ તીર્થંકરોને કેટલીય યોનિઓમાંથી ગુજરવું પડ્યું. યાતનાઓ, દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અરિહંતના રૂપમાં ચારેય ઘાતીકર્મો ૫૨ વિજય મેળવીને અને સિદ્ધના રૂપમાં ચારેય અઘાતીકર્મ (વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય)નું પૂર્ણ દમન કરીને તેઓ સિદ્ધપદ પામ્યા. આઠે કર્મોના વિનાશથી આઠ આત્મગુણો ખીલી ઊઠે છે. તે છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ચારિત્ર, અનંત કાર્યશક્તિ, અરૂપિત્વ (નિરાકાર રૂપ), અગુરુલઘુ (સમભાવ) અને અવ્યયત્વ (અવિનાશીરૂપ). સરળ ભાષામાં કહીએ તો અરિહંત હોય છે ૫૨માત્માની શ૨ી૨ સહિત જીવનમુક્ત અવસ્થા અને સિદ્ધ હોય છે શરીરરહિત કે દેહમુક્ત અવસ્થા.
Jain Education International
175
For Personal & Private Use Only
www.jainelibrary.org