________________
નમોકાર મંત્રનું મહાભ્ય
श्रद्धारत चित्तलीन महामंत्र का उच्चार; तन-मन में ले आता आस्था अपार; मनोबल का उपहार णमोकार का चिंतन उच्चारण, अनुसरण, प्रसारण हर पल स्मरण; है सदा मंगल करण
करता सारे विघ्न हरण । જૈન ધર્મની કેટલીય સદીઓથી ચાલી આવતી યાત્રાની પશ્ચાદ્ભૂમાં નમોકાર મંત્રનો વિશેષ પ્રભાવ રહ્યો છે. આગમ લખાયા તે પૂર્વે કેટલીય શતાબ્દીઓથી જૈન ધર્મની મૌખિક પરંપરાને પ્રવાહિત રાખવામાં આ મંત્રનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે અને સતત પરિવર્તનશીલ ૨૧મી સદીમાં આપણે રહીએ છીએ, તેવા સમયે જૈન ધર્મને સશક્ત બનાવવામાં આ મહામંત્ર મુખ્ય ભૂમિકા ભજવવાની ક્ષમતા રાખે છે. આ મહામંત્રમાં ધર્મનો મર્મ સમાયેલો છે. ઐતિહાસિક સંદર્ભમાં નમોકાર મહામંત્રનું પ્રદાન અપૂર્વ રહ્યું છે અને આવતી કાલે પણ આનું પ્રદાન અપાર અને શાશ્વત રહેશે જો આપણે તેને સમ્યક્રષ્ટિથી સમજીએ, આપણા વ્યાવહારિક જીવનમાં આનું આસ્થાથી અનુસરણ કરીએ અને આની મહત્તાનો લાભ બીજા સુધી પહોંચાડીએ.
હવે આપણે આ મહાન પંચ મંગલાત્મક મંત્રના અર્થ, તાત્પર્ય, વિચારતત્ત્વ અને નૈતિક પ્રેરણા શું છે તે જોઈએ. મહામંત્ર પાંચ પરમેષ્ઠીનું પુણ્યસ્મરણ છે. પંચ પરમેષ્ઠીમાં આવે છે અરિહંત (તીર્થકર), સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - એ મંત્રનો આધાર છે સિદ્ધ ભગવાન, ઉપકાર છે અરિહંતોનો અને સંસ્કાર છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો. ભક્તની જાપની માળામાં ૧૦૮ મણકા હોય છે. આ પંચ પરમેષ્ઠીના કુલ ગુણોનાં પ્રતીક છે : અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭. આમ કુલ ૧૦૮ ગુણોનું પ્રતીક છે.
173
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org