________________
સત્ય અને સંયમ
(૨) સંયમ :
મહાવીર વાણીમાં સંયમને ઇચ્છાઓના દમન તથા સ્વ-અનુશાસનના રૂપમાં આત્મબળ અને ઊર્જા વધારવાનું માધ્યમ માનવામાં આવ્યું છે. મહાવીર કહી ગયા:
वरं में अप्पा दंतो, संजमेण तवेण य ।।
मऽहं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि या ।। અર્થાત્ હું સ્વયં સંયમ અને તપ દ્વારા પોતાના આત્મા, ઇંદ્રિયો અને ઇચ્છાઓને વશ કરું, તેમ કરતાં બીજા લોકો બંધન અથવા વધ દ્વારા મારું દમન કરે.
ઇચ્છાઓ અનંત છે અને કષાયની જેમ વધતી જાય છે. જેટલી ઇચ્છાઓ પૂરી કરો, એટલી જ અતૃપ્તિ વધતી જાય છે. માટે ધર્મમાં અહિંસા અને તપની સાથે સંયમને ત્રીજું અંગ માનવામાં આવે છે. આગામોમાં કહ્યું છે :
धम्मो मंगल मुक्किटुं, अहिंसा संजमो तवो ।
देवा वि तं नमसंति, जस्स धम्मे सदा मणुआ ।। અર્થાત્ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન કાયમ ધર્મમાં રમે છે, એને દેવતા પણ નમસ્કાર કરે છે.
દિગંબર પરંપરામાં ધર્મનાં દસ લક્ષણોમાં ઉત્તમ સંયમને ઉત્તમ ક્ષમા, મૃદુતા, સરળતા, સત્ય, શૌર્ય, તપ, ત્યાગ, આર્કિંગન્ય તથા બ્રહ્મચર્યની સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો છે. ઉત્તમ સંયમધર્મમાં છકાય જીવોની રક્ષા તથા પાંચ ઇંદ્રિયો અને મનને વશ કરવાની વાત કહેવામાં આવી છે.
વાચ કદ પ્રતિપાત, પંન્દ્રિય મન વશ વરો ! રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની ઇંદ્રિયોની જાળમાં ફસાઈને માનવી જે સુખનો અનુભવ કરે છે તે વાસ્તવિક સુખ નથી. સંયમથી જ ઇંદ્રિયો પર નિયંત્રણ રહી શકે. પૂ. ગાંધીજી કહેતા હતા કે આપણે આવશ્યકતાઓને અનુકૂળ અને લોભલાલચથી પ્રતિકૂળ સંયમિત જીવન વિતાવવું જોઈએ. Man should live by need and not greed.
પ્રવચનમાં આચાર્ય કુંદકુંદ લખે છે :
169
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org