________________
મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ
આવશ્યક છે : (૧) સંયમ (૨) સ્વનિયંત્રણ (૩) સકારાત્મક વિચારો (૪) નૈતિક દૃષ્ટિકોણ (પ) કર્મો ઉપર વિજય (ક) અપરિગ્રહ અને ત્યાગ.
સંયમ : સંયમમાં મન, વચન અને કાયા ત્રણેની પ્રવૃત્તિમાં સમ્યક મર્યાદા નક્કી કરવાની હોય છે.
સ્વનિયંત્રણ : સ્વનિયંત્રણમાં ચાલતી વખતે સાવધાની અને સતર્કતા, લોભનું સંવરણ કરીને માત્ર આવશ્યકતાઓની પૂર્તિ કરવી, હિંસા ન થાય તે માટે વસ્તુઓ અને પદાર્થોનો ધ્યાનથી ઉપયોગ કરવો તથા વસ્તુઓનો દુરુપયોગ કરવાથી બચવું, એને નકામી ન થવા દેવી અને એની પર હિંસાનો પ્રયોગ ન કરવો અથવા બીજાને કરવા ન દેવો.
નૈતિક દૃષ્ટિકોણ : નૈતિક દૃષ્ટિકોણમાં ક્ષમાભાવ, વિનમ્રતા, સત્યપ્રિયતા, સ્વઅનુશાસન, ત્યાગ, અપરિગ્રહ, ઇન્દ્રિયદમન અને વિકાર રહિત ઇચ્છાશક્તિ જેવાં ગુણતત્ત્વો આવે છે.
સકારાત્મક વિચાર : સકારાત્મક વિચારમાં નીચેની મુખ્ય બાબતો આવે છે: (૧) ધર્મનો રસ્તો જ જીવનનો સાચો સંસ્કાર છે. (૨) જીવન એક સંક્રમણ છે અને જીવને કેટલીય યોનિઓમાં ભ્રમણ કરવું પડે છે. માટે શરીરશુદ્ધિને બદલે આત્મશુદ્ધિ તરફ વળવાથી જ જન્મમરણના ચક્રથી છૂટી શકીએ છીએ. (૩) આત્મા શરીરથી જુદું તત્ત્વ છે અને શરીર નશ્વર પરંતુ આત્મા અમર છે. (૪) પરિગ્રહ વધતાં કર્મબંધન વધી જાય છે. (૫) કર્મબંધનો કઈ રીતે ન થાય તે જોવું. (૯) કર્મકાળની કઈ રીતે નિર્જરા કરવી તે જોવું.
અપરિગ્રહ અને ત્યાગ : અપરિગ્રહ અને ત્યાગમાં વ્યવહારની નીચેની બાબતો ખાસ કરીને આવે છે. (૧) લોભ, લાલચ અને મોહનો ત્યાગ; (૨) વ્રતઉપવાસ; (૩) સંયમિત અને નિયંત્રિત આહાર તથા પીણાં; (૪) ખાવા-પીવાની તથા અન્ય ઉપભોગની વસ્તુઓને નકામી જવા ન દેવી; (૫) આત્મસંયમ, ઇન્દ્રિયદમન, ઇચ્છાઓ પર અંકુશ; (૯) ભોગવિલાસથી બચવું; (૭) ખરાબ કામોનું પ્રાયશ્ચિત્ત, (૮) ધર્મગુરુઓનું સન્માન (૯) સંતોની સેવા (૧૦) ધર્મગ્રંથો
163
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org