________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
મન:પર્યવજ્ઞાન : મન:પર્યવ જ્ઞાન વિશિષ્ટ સાધકને જ પ્રાપ્ત થાય છે જે ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે.
કેવળજ્ઞાન : કેવળજ્ઞાનમાં જ્ઞાનની પરાકાષ્ઠા છે જે મળે છે કઠોર સાધના, તપસ્યા અને ગૂઢ ધ્યાન પછી. કેવળજ્ઞાન વિશુદ્ધ આત્મજ્ઞાન છે અને મનુષ્યની સાધનાનું અંતિમ ફળ છે.
તત્ત્વાર્થજ્ઞાન પ્રમાણ (પૂફ), નય (તર્ક) અને નિક્ષેપ (વિશ્લેષણ)થી પ્રાપ્ત થાય છે. બોધપાહુડમાં કુંદકુંદાચાર્ય લખે છે :
संजम संजुत्तस्स य सुझाण जोयस्स मोकरव मग्गस्स ।
णाणेण लहदि लक्खं तम्हा णाणं च णायव्यं ।।२०।। અર્થાત્ સંયમથી યુક્ત અને ધ્યાનને યોગ્ય જે મોક્ષનો માર્ગ છે એનું લક્ષ્ય તો શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, તે સમ્યકજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાનનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
‘તત્ત્વજ્ઞાન તરંગિણી'માં જ્ઞાનભૂષણ ભટ્ટારક લખે છે :
“જેને શ્રદ્ધા છે કે સર્વ વસ્તુ સત્રૂપ છે અને જે સ્યાત્ શબ્દની સાથે વાણી બોલે છે અર્થાત્ જે અનેકાંત પદાર્થને સમજવા માટે ભિન્ન ભિન્ન અપેક્ષાથી એક એક સ્વભાવને વધારે છે તથા જેને એ શ્રદ્ધા છે કે જ્ઞાન પોતાના વિષયની અપેક્ષાએ જગત વ્યાપી છે. તેને સમ્યદૃષ્ટિ અને સમ્યકજ્ઞાની કહેવાય છે.” સમ્યફચારિત્ર :
જો સમ્યક્દર્શન ધર્મનું મૂળ છે તો સમચારિત્ર ધર્મ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે “વારિત્ત સ્ત્રનુ ઘમ્મો'. સમ્યક્ ચારિત્રમાં નિશ્ચય અને વ્યવહાર બંને આવે છે. શ્રાવકના અણુવ્રત અને મુનિના મહાવ્રત વ્યવહારચારિત્ર કહેવાય છે. સમ્યફચારિત્રમાં સમ્યક્ત્વાચરણ ચારિત્ર અને સંયમાચરણ ચારિત્રનાં બે રૂપ મળે છે. સમ્યફચારિત્રથી જ મુક્તિનાં દ્વાર ખૂલે છે. બધાં કષાય, પરિગ્રહ અને મોહનીય કર્મ નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય સાચા અર્થમાં પુરુષાર્થી બને છે.
તત્ત્વાર્થસૂત્ર અનુસાર સમ્યફચારિત્રની પ્રાપ્તિ માટે નીચેનાં ગુણતત્ત્વો
162
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org