SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ શુદ્ધ ભાવોને આત્મામાં જગાડવા અને પૂર્વ કર્મબંધનોને દૂર કરવા. મોક્ષતત્ત્વ એ દર્શાવે છે કે નિર્જરા દ્વારા કર્મ-બંધનોનો ક્ષય કરી આત્માથી અલગ કરીને આત્માને સ્વતંત્ર કરવો એવો આત્મા મોક્ષ પથ પર મનુષ્યને અગ્રેસર કરે છે. ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ છે કે જૈન ધર્મમાં સમ્યક દર્શનને યથાર્થ રૂપે સમજવા અને એને જીવનમાં ઉતારવા માટે ખૂબ જ વ્યાવહારિક, તાર્કિક અને સાથે જ સૈદ્ધાંતિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમ્યક્દર્શનના મહિમાનું હૃદયસ્પર્શી વર્ણન આચાર્ય સમતભદ્ર “રત્નકંરડ શ્રાવકાચાર'માં કર્યું છે. એમણે લખ્યું છે “ર સમ્યકત્વ સમં વિંચિત્ કૈવજો ત્રિનત્ય | એચડશેયરશ્ય મિથ્યાત્વ સમં નાચતૂન મૃતાપ તારૂઢા' અર્થાત્ “જીવોને ત્રણ લોક અને ત્રણ કાળમાં પણ સમ્યક્દર્શન સમાન કલ્યાણકારી બીજું કશું નથી, સાથે જ મિથ્યાત્વ સમાન અહિતકારી અને દુ:ખદાયક પણ કોઈ નથી.” સમ્યકજ્ઞાન : સમ્યકજ્ઞાન-પ્રાપ્તિને માટે સમ્યક્દર્શનની ઉપલબ્ધિ નિતાંત આવશ્યક છે, નહીં તો તે મિથ્યા જ્ઞાન થઈ જશે. સમ્યકજ્ઞાન સંશય, વિમોહ, વિભ્રમ અને અસ્પષ્ટતા રહિત હોય છે. સમ્યફજ્ઞાન યથાર્થ બોધ છે જે જ્ઞાનાવરણ કર્મથી મુક્ત છે. સમ્યકજ્ઞાનનો આધાર સ્યાદ્વાદની ભાષામાં વર્ણવેલો અનેકાંતાત્મક વસ્તુસ્વરૂપનો વિચાર છે. તેમાં અંધશ્રદ્ધાને સ્થાન હોતું નથી. સમ્યકજ્ઞાનના પાંચ ભેદ છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આમાંથી પહેલા બે પરોક્ષ છે અને અંતિમ ત્રણ પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન : મતિજ્ઞાન ઇન્દ્રિયજન્ય અને મનોજન્ય હોય છે. આમાં મતિ, મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ (અનુમાન) આવે છે. શ્રુતજ્ઞાન : શ્રુતજ્ઞાન સાંભળેલું જ્ઞાન છે જેની પહેલાં મતિજ્ઞાન આવશ્યક છે. અવધિજ્ઞાન : અવધિજ્ઞાન સાધનાથી પ્રાપ્ત થાય છે. 161 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy