________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
ધર્મના સમ્યકુમાર્ગથી ભ્રષ્ટ અથવા વિચલિત લોકોને ધર્મનું સાચું જ્ઞાન નિસ્વાર્થ ભાવે કરાવવું અને એમનો ભ્રમ અને સંદેહ દૂર કરવા.
સમ્યક્દર્શન પ્રાપ્તિમાં આઠ પ્રકારના મદ બાધક છે અને એનાથી દૂર રહી મનુષ્ય ધર્મપથ પર દઢ રહી શકે છે : (૧) જ્ઞાન મદ (૨) પ્રતિષ્ઠા મદ (૩) કુળ મદ (૪) જાતિ મદ (૫) શક્તિ મદ () ધન મદ (૭) તપ મદ અને (૮) પ્રભુતા મદ,
સમ્યક્દર્શનની પ્રાપ્તિ માટે ત્રણ મૂઢતાઓથી પણ બચવું જરૂરી છે. દેવ મૂઢતાનો અર્થ છે મિથ્યાત્વભર્યા, રાગદ્વેષથી ઘેરાયેલાં દેવી-દેવતાઓને ઇષ્ટ દેવ માનવાં મૂર્ખતા છે. આ રીતે કુરીતિઓ, કુરૂઢિઓ અને અંધવિશ્વાસોમાં ધર્મ સમજવો લોકમૂઢતા છે. પાખંડી મૂઢતા પાખંડી સાધુ-સંતોની જાળમાં ફસાવું તે છે. મુખ્ય તત્ત્વ એ કે માયાચારથી દૂર રહીને આત્મકલ્યાણને માટે સ્વયંની આત્મશક્તિ અને સાધનાથી રસ્તો શોધવો. એ જૈન ધર્મની વિશેષતા છે. કુદેવ, કુગુરુ અને કુધર્મ પર શ્રદ્ધા તથા એના અનુયાયીઓની પ્રશંસા અથવા સ્તુતિ કરવી એ છે બાધક કહેવાય છે. આ રીતે સમ્યક્દર્શનના માર્ગમાં ૨૫ સંભવિત દોષ છે.
(૧) આઠ અંગોના વિપરીત આઠ દોષ, (૨) ત્રણ મૂઢતા, (૩) છ અનાયતન (૪) આઠ મદ.
સમ્યક્દર્શનનું મુખ્ય અને મૂળતત્ત્વ છે કે સૃષ્ટિસંબંધી સાતે તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને પોતાના વિચાર, આચાર અને વ્યવહારમાં એને ઉતારવું. આ તત્ત્વ છે : (૧) જીવ (૨) અજીવ (૩) આસવ (૪) બંધ (૫) સંવર (૬) નિર્જરા (૭) મોક્ષ. જીવ-અજીવ તત્ત્વનો સાર છે કે આત્મા જીવ છે અને શરીર - જેમાં તે વાસ કરે છે તે જડ છે અને આત્માથી ભિન્ન છે. આત્માથી શરીરનો માત્ર સંયોગ સંબંધ છે. આસવનો અર્થ છે રાગ-દ્વેષ અને અન્ય વિકૃત અને વિકારી વિચારોની આત્મા ઉપર ખોટી - અવળી અસર પડવી. બંધનો અર્થ છે કે લુષિત અને વિકારયુક્ત ભાવોનું કર્મરૂપમાં પરિણત થઈ જવું અને કર્મબંધની જાળ ફેલાવવી. સંવરનો અર્થ છે કર્મોના આસવને રોકવો અને સમભાવ રાખીને નવા કર્મોનો આસવને ન થવા દેવો. નિર્જરાનો અર્થ છે સાધના, તપ, ધ્યાન, ચિંતન, મનનથી
160
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org