SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ પ્રકાશમાં દૃષ્ટિગોચર થતા દોષોને દૂર કરીને આલોકિત સ્થાનને પાવન અને નિર્મળ બનાવવામાં છે.” જેનાથી તત્ત્વાર્થનો યથાર્થ બોધ થાય છે, તે સમ્યકજ્ઞાન કહેવાય છે. જેનાથી તત્ત્વાર્થ પર પરમ શ્રદ્ધા થાય છે એને સમ્યક્રદર્શન કહેવાય છે, અને જે આચારપ્રણાલી દ્વારા આત્માની વૃત્તિઓને નિયંત્રિત કરવામાં આવે છે અને જીવનના અંતરંગ અને બાહ્ય સ્વરૂપને સ્વસ્થ અને શુદ્ધ રાખવામાં આવે, એને સમ્મચારિત્રનું નામ આપવામાં આવ્યું છે. આ રત્નત્રયને મેળવવાનો પ્રયાસ પણ સાંસારિક માયાના કાદવમાં કમળ ખીલવવામાં મદદ કરે છે. જૈન ધર્મ આધ્યાત્મિક ઉદ્દેશો અને વ્યાવહારિક જીવનનો સુંદર સમન્વય કરે છે. આત્મમુક્તિ અને મોક્ષ તરફ અગ્રેસર થવા માટે મનુષ્ય આ ત્રણ ઈશ્વરીય ગુણો સમ્યફદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રથી સંપન્ન થાય તે આવશ્યક છે. સમ્યકજ્ઞાન સિવાયના કોઈ પણ પ્રકારનાં કર્મકાંડ, ક્રિયાકલાપ, તપ, જાપ વગેરેથી મનુષ્યનો ઉદ્ધાર નથી થઈ શકતો. સમ્યક્દર્શન પણ વસ્તુસ્વભાવને સાચા રૂપમાં સમજવા માટે જરૂરી છે અને આ બંનેથી પણ વધુ મહત્ત્વ રાખે છે સમ્યકૂચારિત્ર. જ્યાં સુધી આપણે આપણા સત્યદર્શન અને જ્ઞાનને ઉત્તમ ચારિત્રમાં પરિણત નહીં કરીએ ત્યાં સુધી ન તો વર્તમાન જીવન સુખી થશે અને ન આગળ મુક્તિનો રસ્તો ખૂલશે. આ “રત્નત્રય” એકબીજા સાથે ગૂંથાયેલાં છે અને મનુષ્યને જીવન વિતાવવાનો અને જીવન પછી મુક્તિનો રસ્તો બતાવે છે. આના વગર મનુષ્ય મિથ્યાત્વ, અંધવિશ્વાસ અને કર્મકાંડની સાંકડી કેડીઓની ભુલભુલામણીમાં ભટકતો રહે છે. સમ્યક્દર્શન : સમ્યક્દર્શનથી મનુષ્ય જીવનના સાચા રસ્તે જાય છે અને એને શુદ્ધ આત્મસ્વરૂપની ઝલક મળી જાય છે. તત્ત્વજ્ઞાન અને તત્ત્વશુદ્ધિ જ સમ્યક્દર્શન છે. સમ્યક્દર્શનનો વિરોધી ગુણ મિથ્યાત્વ છે, જે માનવને વિવેકનો રસ્તો ભુલાવી દે છે અને કેટલાય પરિગ્રહો અને પૂર્વગ્રહની માયાજાળમાં ફસાવી દે છે. સમ્યક્દર્શનનો સાર એટલે જે વસ્તુ જેવી છે, જે રૂપમાં સ્થિર છે, એનું એવું જ 158 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy