________________
મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ
જીવનના દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય(શક્તિ)ના પ્રગટ થવામાં બાધક હોય છે.
આ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય ઘાતી કર્મ છે અને બાકી અઘાતી કર્મ છે. ઘાતી કર્મ આત્માના મૂળ સ્વાભાવિક ગુણોનો નાશ કરે છે. અઘાતી કર્મની પ્રકૃતિ શુભ કે અશુભ હોય છે.
ઉપરોક્ત વિવેચન પરથી આપણે એ સારાંશ પર પહોંચીએ છીએ કે જૈન ધર્મનો કર્મસિદ્ધાંત આત્માની મુક્તિનો સિદ્ધાંત છે. આ પુરુષાર્થનો સિદ્ધાંત છે, કોરો ભાગ્યવાદ નથી. પ્રાણીમાં પુરુષાર્થ જગાવવો એટલે આત્મશક્તિને મજબૂત કરવી. આત્મબળ વધારવાનું છે અને સ્વભાવને પેદા કરવાનો છે. આત્મામાં કર્મોથી પેદા થયેલા વિકારોથી છુટકારો સમ્યકુદૃષ્ટિ વિકસિત કરવાથી થઈ શકે છે. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્મચારિત્ર્યની પ્રાપ્તિના માર્ગે અગ્રેસર થવાથી સમ્યક્દૃષ્ટિમાં મનુષ્યનો વિવેક પૂર્ણરૂપે જાગ્રત, જીવંત અને શક્તિવંત બની જાય છે. રત્નત્રયની સાધના :
સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન અને સમ્મચારિત્ર જૈન ધર્મનાં “ત્રણ રત્ન' (રત્નત્રય) છે; સંપૂર્ણ જૈનદર્શનનો મૂળ પાયો છે અને જૈન સંસ્કૃતિની પાવન ત્રિવેણી છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાંતના આધ્યાત્મિક અને સાથે વ્યાવહારિક ગુણતત્ત્વોનો પૂરો લાભ મળે ત્યારે જ્યારે વ્યક્તિને વિશુદ્ધ આત્મબોધ થઈ જાય છે. આત્મબોધ સાધના, વીતરાગતા અને તત્ત્વાર્થનાં ચિંતન-મનન અને પાલનથી થાય છે. મનુષ્ય પોતાના જીવનમાં સમ્યષ્ટિની સાધના કરવાની છે. સમ્યદર્શન વિવેકશીલ તર્ક અને આસ્થા વચ્ચે સ્વસ્થ સંતુલન, માધ્યસ્થભાવના અને અનેકાંત વિચારપ્રવૃત્તિથી આકાર લે છે. આપણે માત્ર શ્વાસ લેવા માટે જીવી રહ્યા નથી. જીવનનું રહસ્ય શું છે, જીવનનું પ્રારબ્ધ શું છે, જીવનનો હેતુ શું છે, આપણે ક્યા પ્રકારનું સુખ, તૃપ્તિ અને આનંદ શોધી રહ્યા છીએ. એ મૂળભૂત પ્રશ્નો છે.
મહાવીરે કહ્યું છે :
“ગૌતમ ! જે જાણે છે તે જ બંધનોને તોડે છે. જ્ઞાનની સાર્થકતા અંધકારને દૂર કરીને આલોક (પ્રકાશ) પ્રાપ્ત કરવાની છે અને ચારિત્રધર્મની આવશ્યકતા આ
157
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org