________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
નહીં, દરેક પ્રાણીને સારાં અથવા ખરાબ કર્મોનું ફળ અવશ્ય મળે છે ભલે પછી એમાં વિલંબ થાય.
આત્માના આઠ મૂળ ગુણોથી વિપરીત કર્મ પરમાણુ પણ આઠ હોય છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુ (૯) નામ (૭) ગોત્ર અને (૮) અંતરાય.
જ્ઞાનાવરણ કર્મ : વસ્તુના સ્વરૂપને યથાર્થ રૂપથી જાણવું એ જ્ઞાન છે. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. જ્યારે અશુભ કર્મ એ જ્ઞાન પર પડદો નાખી દે ત્યારે એને જ્ઞાનાવરણ કર્મ કહેવામાં આવે છે.
દર્શનાવરણ કર્મ : આ કર્મ આત્માના દર્શનગુણને ઢાંકી દે છે.
વેદનીય કર્મ : વેદનીય કર્મના કારણે જીવને સુખ અને દુ:ખ બંને મળે છે પરંતુ એને અલગ સુખ નથી મળતું. એમાં દુ:ખનો અંશ પણ હોય છે. જેવી રીતે મધથી લેપાયેલી છરીથી (મીઠી છૂરી) મધના આસ્વાદ સાથે જીભ કપાવાનો ભય રહે છે.
મોહનીય કર્મ : આત્માને મોહમાં નાખી વિકૃત કરે છે અને તેથી તે હિતઅહિતમાં વિવેક કરી શકતો નથી. મોહનીય કર્મ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ બે પ્રકારે હોય છે.
આયુ કર્મ : આયુ કર્મમાં જન્મ અને મરણ વચ્ચેનો કાળ તે આયુષ્ય છે. તે કર્મના ઉદયથી જીવ ચાર ગતિમાંથી કોઈ એક ગતિમાં રહે છે. એ ચાર પ્રકારે હોય છે : દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્યાયુ.
નામ કર્મ : નામ કર્મ જીવના વિભિન્ન યોનિમાં તથા પ્રકારનાં રૂપ ઘડે છે તથા શરીરની આકૃતિ, રચના વગેરે બનાવે છે. બધાં કર્મોમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વધુ છે. તે સવિશેષ દેહજન્ય છે.
ગોત્ર કર્મ : ગોત્ર કર્મમાં ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર બે ભેદ છે. સારાં કર્મ કરવાથી ઉચ્ચ ગોત્રમાં જન્મ મળે છે. નીચ ગોત્રના ઉદયથી જીવનો હલકા કુળમાં જન્મ થાય. આત્માને ગોત્ર નથી, આ કર્મ આત્માના અગુરુલઘુ ગુણને રોકે છે.
અંતરાય કર્મ : અંતરાયનો અર્થ છે બાધા, રુકાવટ અથવા વિપ્ન. જે
156
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org