SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ બુદ્ધિના કારણે તત્ત્વ અને અતત્ત્વમાં વિવેકશીલ ભેદ ન કરી શકે; અથવા પોતાની ધારણા ખોટી હોવા છતાં પણ એ સાચું હોવાનો હઠાગ્રહ કરે; અથવા સારા-ખરાબ ગુરુ, દેવ, ધર્મમાં વિવેક ન કરી શકે; અથવા સત્ય જાણવા છતાં પણ આવેશમાં બહેકી જાય; અથવા જિનવાણી પ્રત્યે સંશય ભાવ રાખે ત્યારે મિથ્યાત્વ લાગે છે. અવિરતિ : અવિરતિ બાર પ્રકારની હોય છે જે પાપોથી વિરામ નથી થવા દેતી; જેવી કે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે. પ્રમાદ : આળસને પ્રમાદ કહે છે. સાથે જ શરાબ, ભોગ, નિદ્રા, નિંદા વગેરેમાં લાગ્યા રહેવું અને તેમાં આનંદ મનાવવો પણ પ્રમાદ છે. કષાય : કષાય આત્માના સદ્ગણોનો નાશ કરે છે. ઈર્ષા, વૈમનસ્ય, વિરોધ, ધૃણા, આત્માના શત્રુ છે. ક્રોધ, માન, માયા અને લોભ ચાર મુખ્ય કષાય છે. યોગ : યોગનો અર્થ છે મન, વચન અને કાયાની ગતિવિધિ અને પ્રવૃત્તિ. જો પ્રવૃત્તિ શુભ હોય તો શુભ કર્મ ઉદય પામશે, અશુભ હશે તો અશુભ કર્મ વધશે. કર્મબંધનનાં ઉપરનાં પાંચ કારણોથી ભાવકર્મ અને દ્રવ્યકર્મ પેદા થાય છે. કર્મપુદ્ગલોને દ્રવ્ય કર્મ કહે છે અને મિથ્યાત્વ વગેરેના કારણે આવેલા ભાવોને ભાવકર્મ કહે છે. ભાવકર્મની તીવ્રતાથી દ્રવ્ય કર્મનો તીવ્ર બંધ થાય છે. કર્મ જડ છે પરંતુ આત્મા સાથે મળીને એકરસ બનીને તે પોતાનો પ્રભાવ એવી રીતે બતાવે છે જે રીતે એક દવા મનુષ્યના શરીરનો તાવ ઉતારી દે છે અથવા ગરમ ઊકળતા પાણીથી શરીર દાઝી શકે છે. જડ કર્મોમાં શુભ અથવા અશુભ ફળ આપવાની શક્તિ ચાર રીતે રહેલી હોય છે : (૧) પ્રકૃતિ બંધ (૨) સ્થિતિ બંધ (૩) અનુભાગ બંધ અને (૪) પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધમાં કર્મ-પરમાણુનો સ્વભાવ આવે છે. સ્થિતિ બંધમાં સ્થિતિ; અનુભાગ બંધમાં ફળ આપવાની શક્તિ તથા પ્રદેશ બંધમાં સંદર્ભ અથવા પરિસ્થિતિ જેમાં જીવની સાથે કર્મ આવીને જોડાઈ જાય. એ જરૂરી નથી કે કર્મનું સારું કે ખરાબ ફળ તરત મળી જાય. કેટલીય વાર ફળ પછીના જન્મમાં પણ મળી શકે છે. એ ન વિચારવું જોઈએ કે દુરાચારી પ્રભાવશાળી રહેવાનો બંદોબસ્ત કરી લે તો પછી ખરાબ કર્મોનું ફળ એને મળે જ 155 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy