SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ અહંકાર, લોભ, લાલચ, ક્રોધ, હર્ષ, શોક, ચિંતા, ઉદારતા વગેરેથી પ્રેરાઈને મનમાં કંઈક વિચારે છે અથવા કંઈક બોલે છે અથવા કંઈક કરે છે તો આત્મામાં એક સ્પંદન જેવું થાય છે. આ લોકમાં કર્મ બનવાની ક્ષમતા રાખનારા સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુ આવી આવીને આત્મા સાથે જોડાઈને વિભિન્ન શુભ અથવા અશુભ સંસ્કાર પેદા કરે છે, તે કર્મ છે. કર્મ જીવની સાથે મળવાથી રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે જે કર્મની સાથે બંધન પેદા કરી દે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા અને કર્મવર્ગણાઓનો સમૂહ બંને જ સૂક્ષ્મ છે. પરંતુ આ સૂક્ષ્મમાં અણુની જેમ અનંત શક્તિ અને ઊર્જા રહે છે. ઇન્દ્રિય અગોચર કર્મશક્તિ અદ્ભુત કામ કરે છે. જો અશુભ કર્મ હોય તો તે અનંત શક્તિવાળા આત્માના અનંત અને સમ્યકજ્ઞાન, દર્શન, ચરિત્ર વગેરે ગુણો પર આવરણ નાખી દે છે. કર્મના પુગલ પરમાણુ આત્મા સાથે દૂધમાં પાણીની જેમ મળી જાય છે. કાર્તિકેયાનુપ્રેક્ષામાં આચાર્ય કાર્તિકેય પુદ્ગલ પરમાણુઓની શક્તિનું આ પ્રમાણે વર્ણન કરે છે : कापि अपुव्वा दीसदि पुग्गल दव्वस एरिसी सत्ती । केवलणाण सहावो विणासिदो जाइ जीवस्स ।।२११ । । અર્થાત્ પુદ્ગલ દ્રવ્યની એવી અપૂર્વ શક્તિ છે કે જીવમાં કેવળજ્ઞાન સ્વભાવ હોવા છતાં પણ એને કમજોર બનાવીને વિકાર તરફ લઈ જાય છે. આવા કર્મબંધનથી છુટકારો ત્યારે જ મળી શકે છે જ્યારે આત્મા પોતાની અનંત શક્તિને સંયમ, સાધના, તપ કરીને ઓળખે અને એને સજીવન કરે. સંકલ્પયુક્ત આત્મા કર્મજાળ કાપવા માટે પણ સમર્થ થઈ શકે છે. દરેક આત્માને માટે માર્ગ ખુલ્લો છે; સારાં કર્મ કરીને ઉન્નતિ કરી શકે છે, ખરાબ કર્મ કરીને પતન તરફ પણ જઈ શકે છે. કર્મબંધનાં કારણ ? કર્મબંધનાં પાંચ કારણ માનવામાં આવે છે : (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યોગ. મિથ્યાત્વ : જ્યારે શ્રદ્ધા, રુચિ અથવા વિચાર ઘર કરી લે અને જીવ મિથ્યા 154 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy