________________
જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ
“વાત્ય ધર્મ', “પરમહંસ ધર્મ' અને “યતિ ધર્મના નામથી પણ ઉલ્લેખ આવે છે. ત્યારપછી જૈન ધર્મ' નામકરણ “જિનથી થયું, જેનો અર્થ છે જાતને જીતવી. આનો ઉલ્લેખ વેદો પછીનાં હિંદુ શાસ્ત્રો, શ્રીમદ્ ભાગવત, વિષ્ણુપુરાણ, પદ્મપુરાણ વગેરેમાં પણ મળે છે. “શ્રીમદ્ ભાગવતમાં શ્રમણ ધર્મ અને શ્રમણોના મહિમા વિશે કહેવાયું છે કે તે શાંત, નિર્મળ, સંપૂર્ણ પરિગ્રહથી સન્યસ્ત બ્રહ્મ-પદને પ્રાપ્ત કરે છે. “જયતીતિ જિનઃ' અર્થાત્ કર્મો પર વિજય મેળવનાર “જિન” થયા. તીર્થકરો દ્વારા પ્રવર્તિત ધર્મ જૈન ધર્મ” કહેવાયો, ત્યારથી જ જૈન સમાજમાં લોકપ્રિય શિષ્ટાચારના શબ્દ “જય જિનેન્દ્રનો પ્રારંભ થયો.
જૈન ધર્મની સ્થાપના વૈદિક કાળ પૂર્વેની છે. જૈન શ્રમણ સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ, મિસર સંસ્કૃતિ, બેબિલોન સંસ્કૃતિ તથા રોમની સંસ્કૃતિ કરતાં ઘણી પ્રાચીન છે. “મનુસ્મૃતિ અનુસાર ઋષભદેવનો જન્મ મનુની પાંચમી પેઢીએ થયો હતો. એ કાળ પ્રથમ સતયુગનું અંતિમ ચરણ હતું અને આજ સુધી ૨૪ સતયુગ વીતી ચૂક્યા છે. એનાથી ઋષભદેવના જન્મની પ્રાચીનતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. વૈદિક ધર્મમાં સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ – આ ચાર યુગોની કાળપરંપરા છે. આ રીતે જૈન ધર્મના કાળ મુખ્ય બે ભાગોમાં વિભાજિત છે : (૧) ઉત્સર્પિણી કાળ અને (૨) અવસર્પિણી કાળ.
“ઋગ્વદ’ અને ‘યજુર્વેદમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભનાથનો ઘણે સ્થળે ઉલ્લેખ છે જે જૈન ધર્મનું વૈદિક કાળ પૂર્વે અસ્તિત્વ હોવાનું સિદ્ધ કરે છે. ઋગ્વદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ તથા પછીનાં હિંદુ પુરાણોમાં માત્ર સામાન્ય રૂપથી શ્રમણ પરંપરા અને વિશેષ રૂપથી જૈન પરંપરા સાથે જોડાયેલા અહંત, વાત્ય, મુનિ, શ્રમણ વગેરે શબ્દોનો ઉલ્લેખ મળે છે એટલું જ નહીં, પરંતુ અત્ પરંપરાના આરાધ્ય વૃષભનું વંદનીય વર્ણન વારંવાર થયું છે. ઋષભદેવ દ્વારા પ્રારંભાયેલી જૈન શ્રમણ સંસ્કૃતિ તો આજના સંદર્ભમાં ૫,000 વર્ષથી ય વધુ પ્રાચીન છે. કેટલાક વિદ્વાનોની માન્યતા છે કે જૈન ધર્મ લગભગ ૧૦,000 વર્ષ પુરાણો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org