________________
શાકાહાર સંસ્કૃતિ
પોષણ અને આરોગ્ય :
- શાકાહારનો પ્રચાર પોષણ અને આરોગ્ય સાથે પણ જોડાયેલો છે. આ ગુણતત્ત્વથી પણ જૈન ધર્મનો “શાકાહાર'ની અનિવાર્યતા અને માંસાહાર નિષેધનો નિર્દેશ ઘણો પ્રસંગોચિત છે. એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે માંસાહારની વૃત્તિથી લોકો દૂર રહે અને જુદા જુદા ધર્માનુયાયીઓમાં શાકાહારને લોકપ્રિયતા અપાવવામાં સફળતા મળે. જૈન ધર્મ ક્યારેય કોઈને જૈન ધર્મ અંગીકાર કરવા માટે વિવશ નથી કરતો. પરંતુ જ્યાં સુધી માંસાહારથી શાકાહાર તરફ લઈ જવાની વાત છે – એ માટે હૃદયપરિવર્તન જૈનદર્શનમાં લાભદાયક અને અત્યંત જરૂરી માનવામાં આવે છે.
મુખ્ય શાકાહારના પ્રકારો : શાકાહાર શબ્દ અંગ્રેજી ભાષામાં “વેજિટેરિયન લેટિન ભાષાના “વેજિટ્સ' શબ્દથી બનેલો છે, જેનો મૂળ અર્થ છે સંપૂર્ણ, ઊર્જાયુક્ત અને તાજગીદાયક. શાકાહારીઓમાં હવે મુખ્ય ચાર પ્રકારના લોકો છેઃ
(૧) શાકાહારી –Lacto-ovo-vegetarian, જે દૂધ તથા એના પદાર્થો તથા ઈંડાનું સેવન કરે છે.
(૨) શાકાહારી – Lacto-vegetarian, જે દૂધ તથા એના પદાર્થો લે છે પરંતુ ઈંડાં નહીં.
(૩) શાકાહારી - Vegans, જે શાકભાજીની સાથે કોઈ પણ પશુજન્ય પદાર્થ નથી લેતા. ત્યાં સુધી કે તેઓ દૂધ સુધ્ધાં નથી લેતા.
(૪) અતિવિશુદ્ધ જૈન શાકાહારી જે જમીનની અંદર જંતુઓથી ઘેરાયેલાં શાકભાજી જેવાં કે બટાકા, કાંદા (ડુંગળી), કંદમૂળ વગેરે નથી ખાતા અને વરસાદના દિવસોમાં લીલાં શાકભાજી પણ છોડી દે છે. કેટલાય જેનો કોબીફલાવર પણ નથી ખાતા કારણ કે એની અંદર ખાસ કરીને વરસાદમાં ઇયળો અને જીવજંતુ પેદા થઈ જાય છે.
સામાન્ય રીતે મોટા ભાગના શાકાહારી લોકો શાક તથા ફળોની સાથે દૂધ તથા દૂધના પદાર્થ લે છે. પરંતુ પશ્ચિમમાં અને મુખ્યત્વે ભારત બહાર વસેલા જૈન
14
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org