________________
શાકાહાર સંસ્કૃતિ
ત્યારે એના દર્દથી બચવા માટે ભાગવાના પ્રયત્નમાં કેટલીય વાર તે પોતાની ગરદન મરડી નાખે છે. આવા પ્રયોગોમાં કેટલાંય પશુઓ મરી પણ જાય છે અથવા અંધ થઈ જાય છે.”
હાલમાં જ શ્રીમતી મેનકા ગાંધી અને અન્ય સંગઠનો જેવાં કે “પીપલ ફૉર એનિમલ્સ' વગેરેએ થઈ રહેલી શોધો માટે જાનવરોની દયનીય અને બીમાર દશા થતી હોવાથી તેના ઉપયોગ માટે ઘોર વિરોધ કર્યો છે. પર્યાવરણીય પક્ષ : - મનુષ્યની માનસિકતાનું દૃષ્ટાંત જુઓ. શસ્ત્ર અને ગાંજા-અફીણના વિશ્વવ્યાપી ગેરકાયદેસર વ્યાપાર પછીના નંબરે આવે છે એવી બહુમૂલ્ય પશુસંપત્તિ જેવી કે દુર્લભ જાતિના વાનર, સિંહ, સમુદ્રી કાચબા, રીંછનું બચ્ચું, ચિત્તો, ગેંડા, હાથી, કૂતરા વગેરે પશુઓનાં માંસ, નખ, ચામડા અથવા શીંગડાંનો ગેરકાયદેસર વ્યાપાર. લગભગ ૧૦૦૦ કરોડ ડૉલરથી વધુ વ્યાપાર દર વર્ષે થાય છે. શિયાળ, સસલું અને બીજા દુર્લભ ફરવાળાં પશુ નિર્દયતાથી મારી નાંખવામાં આવે છે. મનુષ્ય માટે ફર કોડ, ફર જૂતા અને ફર ટોપી અથવા સુંવાળી શાલ બનાવવા માટે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલમાં દર વર્ષે ૨ લાખથી વધુ નોળિયા અને ખિસકોલીને મારી નાખવામાં આવે છે. બેંગ્લોર નજીકના એક ગામમાં શિયાળોનું મોટું સીવીને, કાન કાપીને આખા ગામમાં ફેરવવાની પ્રથા છે, જેથી ઇન્દ્ર દેવ ખુશ થઈને વરસાદ આપે.
જનસેવી સંગઠન “પેટા' (પીપલ્સ ફૉર ધ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ)એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાનવરોનાં મોતના પરિણામે પ્રગતિ કરતા ઉદ્યોગો સામે ઉગ્ર આંદોલન ચાલુ કર્યું છે. જૈન આચાર્ય વિદ્યાસાગરજીએ પણ લોકોને કહ્યું છે કે “તેઓ ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું બંધ કરે.”
માંસાહારના કારણે સંસારની અજોડ અને બહુમૂલ્ય જૈવિક વિવિધતા હિંસાનો ભોગ બની છે. (Biological diversity). લગભગ ૨૫ ટકા વિવિધતા નાશ પામી છે. કહેવાય છે કે લગભગ ૧૦૦૦ જીવજંતુની પ્રજાતિ દર વર્ષે નાશ પામી રહી છે. એક તરફ માનવ જનસંખ્યા દર વર્ષે એક કરોડથી વધીને હવે ૬૦૦ કરોડથી
139
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org