________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
અને અસીમ યાતનામાંથી પસાર થતાં હતાં. એક માણસે એમનાં ગળાં લાંબા છરા વડે કાપ્યાં અને લોહીની નદી વહેવા લાગી. તેઓના પ્રાણ નીકળી ગયા અને મનુષ્યને માટે ભોજન તૈયાર થઈ ગયું.”
એક બાજુ આખી દુનિયામાં પશુઓ પ્રત્યેના નિર્દય વ્યવહારને રોકવા માટે કેટલીય સંસ્થાઓ આંદોલન ચલાવી રહી છે. પરંતુ જે ગતિથી કતલખાનાંઓમાં પશુ-સંપત્તિનો વિનાશ થઈ રહ્યો છે, એ જોઈને લાગે છે કે કેટલાંય પ્રકારનાં વિશિષ્ટ પશુઓ, જંતુઓ અને પ્રાણીઓ સૃષ્ટિમાંથી સદંતર નાબૂદ થઈ જશે. મેક્સિકો દેશના વિશ્વવિખ્યાત પર્યાવરણવિદ્ હોન્સ આરઝેસે લખ્યું છે કે “આપણે પૃથ્વીના જીવનના અદ્ભુત પ્રકારોને મારીને પારસ્પરિક નિર્ભરતા અને સહઅસ્તિત્વના તાણાવાણા ખતમ કરી રહ્યા છીએ.”
અગ્રણી જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજીએ પાછલાં કેટલાંક વર્ષોથી ભારતમાંથી થતી માંસની નિકાસને રોકવા માટે એક ઉગ્ર આંદોલન ઊભું કર્યું છે જેનાથી નિકાસ માટે મારવામાં આવતાં મૂંગાં પ્રાણીઓ બચી શકે. આ અભિયાન “જીવદયા” અને “જીવરક્ષા”નું અભિન્ન અંગ છે. જેમાં કેટલાંય અગ્રણી જૈન સંગઠનો કતલખાનાંઓ બંધ કરવા અને નવાં કતલખાનાંઓને અનુમતિ ન આપવા સરકાર પર જનમત દ્વારા દબાણ કરી રહ્યા છે. માંસની નિકાસ જે ૧૯૭૩-૭૪માં માત્ર ૧૦,૦૦૦ મેટ્રિક ટન હતી જે ૨૦૦૧માં વધીને ૨,૦૦,૦૦૦ મેટ્રિક ટનથી પણ આગળ વધી ગઈ છે. કહેવાય છે કે ૨૦૦૦ કરોડ રૂપિયા કમાવા માટે ૧,૭૦,૦૦૦ ભેંસોની કતલ કરવામાં આવે છે. આ ભેંસો જો વધુ પાંચ વર્ષ પણ જીવતી રહી હોત તો એનું છાણ ૧૯ કરોડ ટન થયું હોત. જે ખાતર બનીને ૭ કરોડ ટન વધુ અનાજ પેદા કરવા માટે સહાયક થાત.
જીવદયા' વિશે વિશેષજ્ઞ જૈન મહિલા શ્રીમતી શિલ્પા શાહ લખે છે :
“દર વર્ષે ગૃહઉપયોગ અને સજાવટની વસ્તુઓ માટેના સંશોધનમાં ૧.૪ કરોડ જાનવરોને ત્રાસ આપવામાં આવે છે અને કેટલાંય મરી પણ જાય છે. દંતમંજન (ટૂથપેસ્ટ), લિપસ્ટિક, વાસણ સાફ કરવાનો સાબુ, ફર્નિચર પૉલિશ, આવા બધા પદાર્થોનો પહેલા સસલાં અને કૂતરાં પર પ્રયોગ કરવામાં આવે છે. આંખોમાં નાંખવામાં આવતી દવાઓનો જ્યારે સસલાં ઉપર કરવામાં આવે છે
138
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org