________________
શાકાહાર સંસ્કૃતિ
મેટેમારફસિસ'માં લખ્યું છે કે “ઈશ્વરે માત્ર મનુષ્યને ઉપર જોઈ શકે તેવો ચહેરો આપ્યો છે, જેનાથી તે હંમેશાં સીધા ઊભા રહીને સ્વર્ગની તરફ જોઈ શકે, એની સરખામણીમાં બાકીનાં બધાં ચોપગાં પશુ નીચે ધરતી તરફ જ જોતા રહે છે.”
આ બધાં ગુણતત્ત્વોનો નિર્દેશ એ છે કે મનુષ્ય પ્રાણીજગતની મોટા ભાઈ અથવા સંરક્ષક અથવા મોનિટરના રૂપે રક્ષા કરે, ન કે એને ખતમ કરી પોતાની ક્ષણિક ભૂખ મિટાવે. મહાવીર વારંવાર પોતાનાં પ્રવચનોમાં કહેતા હતા કે જ્યારે આપણે કોઈને પ્રાણ આપી નથી શકતા તો આપણને શું અધિકાર છે એના પ્રાણ લેવાનો ? પ્રાણીજગતને ત્રાસ આપવો કે એના પ્રાણ લેવા એ તો બતાવે છે કે સભ્ય અને સુસંસ્કૃત માનવીનું કેટલું નૈતિક પતન થઈ ગયું છે ! એના લોભ, શોષણ અને અહંકાર કેટલા અનિયંત્રિત અને નિરંકુશ બની ગયા છે, તે પ્રાણીજગતનું ભક્ષણ એવી રીતે કરવા લાગ્યો છે કે જાણે તે આત્મારહિત જડ પદાર્થ હોય.
આ વાત પર જૈન ધર્મમાં, આપણે અગાઉના અધ્યાયમાં જોયું તે પ્રમાણે સમગ્ર જીવજગતના અસ્તિત્વનું અને સાથે જ આત્માની સમાનતા અને પારસ્પરિક નિર્ભરતાનું વિસ્તૃત વિવરણ મળે છે.
આ સંદર્ભમાં માનવી પોતાની નૈતિક પ્રવૃત્તિ સાથે સમજૂતી કરીને માંસાહાર માટે પ્રાણીજગત પર કેવા કેર વર્તાવે છે ! કતલખાનામાં કેટલી નિર્દયતા, નિર્મમતા અને કઠોર યંત્રવત્ પ્રક્રિયાથી પ્રાણીની ચીસો - ચિત્કારની ઉપેક્ષા કરીને એને મારી નાખવામાં આવે છે. અસહ્ય વેદના, હતાશા, ક્રોધ અને યાતનામાંથી પસાર થઈ રહેલાં પશુઓનું માંસ ખાવાથી મનુષ્યના માનસમાં પણ એવી જ ભાવનાઓ જન્મ લેશે અને એને વધુ અસહિષ્ણુ બનાવશે.
થોડા સમય અગાઉ મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન મેં તલખાના ઉપર એક અમેરિકનનો લેખ વાંચ્યો હતો. એનો એક હૃદયદ્રાવક અંશ અહીં આપી રહ્યો છું:
ગાય, વાછરડા, ભેંસને એક સાંકડી ગલીમાં નીચે ફેંકવામાં આવતાં હતાં. એક પછી એક બંધ થતાં કાણામાંથી નીચે પડી રહ્યાં હતાં. એમનો એક પગ દોરડાથી બાંધેલો હતો અને બીજો લટકી રહ્યો હતો. તેઓ બેહોશ બની ગયાં હતાં
137
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org