________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
શાસ્ત્રીય અને આજના ગતિશીલ જીવનમાં અવ્યાવહારિક કહીને આપણી જાત સાથે આપણે છેતરપિંડી કરીએ છીએ. રાત્રિ-ભોજનત્યાગ અથવા ગાળેલાં પાણી પીવાનો નિયમ અથવા સૂર્યાસ્ત પછી માત્ર ભોજન નહીં પણ જલ પણ ગ્રહણ નહીં ક૨વાનો નિયમ, અવારનવાર તપ, ઉપવાસ, વારંવાર ખાવું, કેટલાક પદાર્થોનો ત્યાગ કરવો ઇત્યાદિ ધર્મની કોઈ અદીઠ પ્રક્રિયા પાછળ વિવેકગુણનું તત્ત્વ છે, સંયમ અને સંતુલનની ભાવના છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવજંતુઓની સુરક્ષાનું ધ્યાન છે. આ બધાં જીવદયા, સામૂહિક, શાંતિમય સહઅસ્તિત્વ અને પ્રકૃતિએ આપેલી પારસ્પરિક નિર્ભરતાનાં જીવંત અને ખૂબ વ્યાવહારિક પ્રતીક છે.
જૈન ધર્મગ્રંથ ‘આચારાંગ સૂત્ર' કહે છે :
(૧) ‘સંતિ વાળા પુદ્ધો સિયા લગ્નમાળા પુટ્ટો પાસ’ અર્થાત્ સંસારમાં અનેક પ્રાણવાન જીવ છે; તે અલગ-અલગ છે, એમને શરમાતા જુઓ, તેઓ સચેતન છે, એનામાં પણ પ્રાણ છે; એનું સંરક્ષણ પ્રાણીમાત્રનું સંરક્ષણ છે.
(૨) બધાં શ્વાસ લેતાં, જીવતાં અને સ્પંદનશીલ પ્રાણીઓને ન તો મારવા જોઈએ, ન એમના પ્રત્યે હિંસક વ્યવહા૨ ક૨વો જોઈએ, ન એનું શોષણ કરવું જોઈએ, ન ત્રાસ આપવો જોઈએ કે ન એમને અપમાનિત કરવાં જોઈએ. આ એક પવિત્ર અને શાશ્વત નિયમ છે જેને બદલી ન શકાય.
આ વિચારોની પાછળ ભાવના એ પણ છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ બીજા પ્રત્યે આચરવામાં આવેલી હિંસા અંતે તો પોતાના આત્મા પ્રત્યે હિંસા છે કારણ કે આવી હિંસા હૃદયમાં ધૃણા, શોષણ, અસહિષ્ણુતા અને ક્રૂરતાની વૃત્તિ જગાવે છે અને આવી હિંસા પોતાનામાં ક્લુષિત અને કષાયભરી ભાવનાઓના કારણને જન્મ આપે છે.
આહાર સંબંધી આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં જૈન વિચારદર્શન સાથે સંસારની બીજી સંસ્કૃતિ, ધર્મ અને ગહન ચિંતકો પણ સહમત છે. શાકાહારના વિશ્વસ્તરના પ્રસારમાં આવો અભિપ્રાય અને અભિવ્યક્તિ ખૂબ સહાયક બની શકે.
અમેરિકામાં શાકાહાર-પ્રસારના પ્રબળ સમર્થક જોન રોબિન્સન પોતાના પુસ્તક એ ડાયેટ ફોર એ ન્યૂ અમેરિકા’ (A diet for a new America)માં લખે છે :
132
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org