________________
શાકાહાર સંસ્કૃતિ
જીવદયા અને સ્વયંની સ્વાસ્થ્ય રક્ષા અને સંયમિત મર્યાદાપાલન એના મહત્ત્વપૂર્ણ પાસાં છે.
માનવનું સ્વાભાવિક ભોજન :
આહારચર્યાનું એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે શાકાહાર માનવનું સ્વાભાવિક અને પ્રાકૃતિક ભોજન છે. મનુષ્યના શરીરની રચના શાકાહારી પશુઓ જેવી છે. મનુષ્યની પાચનશક્તિ, ચામડી અને શારીરિક અંગબનાવટ પણ શાકાહારી પશુઓ જેવી છે. શાકાહારી પશુઓનાં જડબાં ગોળ હોય છે, દાંત નાના, ધાર વગરના અને બાજુબાજુમાં લાઇનમાં હોય છે. એ પાણી હોઠ અંડાડીને પીવે છે અને એના નખ ચપટા હોય છે. માંસાહારી પશુના નખ તીક્ષ્ણ, જડબાં લાંબાં, દાંત અણીદાર તેજ અને કઠણ હોય છે અને તે પાણીને જીભથી ચાટી ચાટીને પીએ છે. મનુષ્યની શાકાહારી શ૨ી૨૨ચના સાથે એના હૃદયમાં ઊભરાતી કરુણા અને જીવદયા જોડી દઈએ તો આહારચર્યામાં જૈન ધર્મ દ્વારા શાકાહાર ૫૨ સહુથી વધુ ભાર તર્ક અને ભાવનાત્મક એમ બંને દૃષ્ટિકોણ દ્વારા સમજમાં આવી
જાય.
શાકાહાર એક સંપૂર્ણ સંસ્કૃતિ :
શાકાહારને જૈન દર્શન અને ચારિત્ર બંનેમાં સર્વોપરિ સ્થાન આપવામાં આવ્યું છે. આ માત્ર ખાવા-પીવાનો અભ્યાસ અથવા પસંદગી નથી, શાકાહારની પાછળ જીવ-દયાનો ગુણભંડાર છે. માટે વિશાળ અહિંસા સંસ્કૃતિનું અંગ હોવા છતાં પણ શાકાહાર અલગથી એક સંપૂર્ણ સંસ્કૃતિ છે, જેની સાથે ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક, ભાવાત્મક, પોષણ અને સ્વાસ્થ્ય વગેરે પાસાં જોડાયેલાં છે.
આ બધાં પાસાંઓને આજના યુગની જીવનશૈલીમાં મૂલવવાની જરૂર છે. જેથી શાકાહારના પ્રચારથી અહિંસક વિચારધારાને ગતિશીલતા મળે. એક શાકાહારી માત્ર પોતાનું જ ભલું નથી કરતો. આપણે આગળ જોઈશું કે પ્રાકૃતિક સંસાધનોના સંતુલિત દોહનમાં પણ શાકાહાર મુખ્ય ભૂમિકા ભજવે છે.
ધાર્મિક અને આધ્યાત્મિક પક્ષ :
જૈન ધર્મમાં નિર્ધારિત શાકાહારી નિયમોને આપણે અત્યંત મુશ્કેલ, ચુસ્ત
-
Jain Education International
131
For Personal & Private Use Only
www.jainelibrary.org