SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ અને અહંકારવર્ધક તથા તામસિક ભોજનને વિકારોનું મૂળ કહેવામાં આવ્યું છે. અભક્ષ્ય પદાર્થના પાંચ પ્રકાર બતાવ્યા છે. (૧) જેના સેવનથી બે ઇન્દ્રિયોથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોની હિંસા થાય એ માંસાહાર. (૨) જેના સેવનથી અનંત સ્થાવર (એકેન્દ્રિય) જીવોનો ઘાત થાય જે ખાસ કરીને એટલા માટે કે એ જમીનની અંદર ઊગે છે. જેમ કે કંદમૂળ, બટાકા, ગાજર, અળવી, સૂરણ, આદુ, ડુંગળી, લસણ વગેરે. આ “સાધારણ વનસ્પતિ કહેવાય છે. જેમાં વનસ્પતિરૂપે એક શરીરમાં અનંત જીવ રહે છે. (૩) એવા પદાર્થો જે તાજા હોય તો ખાઈ શકાય છે પરંતુ મર્યાદાથી બહાર જતાં સડવા, બગડવાથી એમાં કેટલાય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. જેમ કે સડેલા-ગણેલાં ફળો, જૂનો વાસી લોટ, બેસન તથા અન્ય દળેલું અનાજ (ઠંડીના દિવસોમાં ૭ દિવસથી વધુ સમય બાદ; ગરમીમાં પાંચ દિવસથી વધુ દિવસ અને વરસાદમાં ૩ દિવસથી વધુ દિવસનું), એ જ રીતે દહીં પણ માત્ર 2 કલાક સુધી ખાવાલાયક માનવામાં આવ્યું છે. (૪) એવા ખાવાલાયક પદાર્થ જે વ્યક્તિના પોતાના સ્વાથ્યની દૃષ્ટિએ હાનિકારક હોય કેવી રીતે ખાંસીના દર્દીને માટે ખટાશ, અશુદ્ધ અને વાસી ખાવાપીવાનું વગેરે. (૫) એવા પદાર્થ – જેમ કે મળ-મૂત્ર જે સેવન કરવા યોગ્ય નથી. “જૈન શાસ્ત્રોમાં ૨૨ પ્રકારની અભક્ષ્ય ચીજોનું વર્ણન મળે છે.” કરા, ઘોલવડા, રાત્રિભોજન, બહુબીજ, રીંગણ, સંધાન, વડ, પીપળ, ઉમર, કઠઉમર, પાકર, ફળ જે હોય અજાણ, કંદમૂળ, માટી, વિષ, માંસ, મધ, માખણ અને મદિરા પાન. ફળ અતિ તુચ્છ, તુષાર, ચલિત રસ આ બાવીસ અભક્ષ્ય બાબત. શાકાહારની સાથે સાથે ગાળેલું અથવા ઉકાળેલું પાણી પીવું, તાજું ભોજન ખાવું અને રાત્રિ-ભોજન ન કરવું એ પણ અહિંસક વૃત્તિનાં અંગ માનવામાં આવે છે. આ રીતે જૈન ધર્મમાં શાકાહારને ખૂબ વિસ્તૃત રૂપમાં જોવામાં આવ્યો છે અને 130 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy