SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શાકાહાર સંસ્કૃતિ આહારચર્યા : અહિંસા તથા અપરિગ્રહના ઉદાત્ત સિદ્ધાંતોને પ્રત્યક્ષ રોજબરોજના જીવનમાં ઉતારવા માટે જૈન ધર્મમાં આહારચર્યા અને આહાર-સંયમને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રોમાં શ્રમણ વર્ગ અને શ્રાવક વર્ગ બંને માટે આહારમાં નિયંત્રણ અને સંયમ કેવી રીતે વધારી શકાય તેનું વિસ્તૃત વર્ણન છે. આહારને માત્ર ઉદરભરણ ન માનતાં, એને સંસ્કાર અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવ્યો છે, તથા એમાં તન-મન બંનેની સ્વસ્થ માવજતનું ધ્યાન સંતુલિત રીતે રાખવામાં આવ્યું છે. અહિંસક આહારચર્યામાં જીવદયા મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. માટે જૈન ધર્મમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોની સુરક્ષા કરવા માટે અને એની સાથે હિંસક વ્યવહાર ન કરવા માટે સ્પષ્ટ જોગવાઈ છે. માંસ, મધ, મઘ અને મર્યાદાથી બહારની વસ્તુઓને અભક્ષ્ય કહેવામાં આવી છે. ખાસ કરીને માંસાહાર કરવાની વસ્તુઓને અનેક અનર્થોનું મૂળ માનવામાં આવ્યું છે. ભોજન અહિંસક અને સાત્ત્વિક હોવા ૫૨ ભાર મૂકવામાં આવ્યો છે. રાજસિક ભોજન દુષ્પાચ્ય Jain Education International 129 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy