SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ "संयम जीवन हो नैतिकता की सुर-सरिता में, जन जन जन पावन हो मैत्री भाव हमारा सबसे; प्रतिदिन बढ़ता जाये समता, सहअस्तित्व, सम्यक् नीति सफलता पाये.” શાંતિમય અને અહિંસક પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધનની અલખ આપણે આખા સંસારમાં જગાડવાની છે. જૈન ધર્મ એ જ શીખવે છે કે પહેલાં આપણે આપણું જીવન અને પર્યાવરણ સુધારીએ. તે આપણને આખા સંસાર અને સમગ્ર માનવસમાજના પર્યાવરણને સુધારવા માટેની શક્તિ, સાહસ અને પ્રેરણા આપશે. જેમ વસંત આવતાં વૃક્ષની એક ડાળ લીલી થવા લાગે છે અને લીલાં પાંદડા ઊગવા લાગે છે તેમ આ શરૂઆત છે. જલ્દીથી આખું વૃક્ષ હર્યું-ભર્યું બની જાય છે. વિશ્વમાં ફેલાયેલા જૈન સમાજ માટે ૨૧મી શતાબ્દીમાં આખી સૃષ્ટિને હરીભરી બનાવવાનું બીડું ઝડપવા માટેનો ગંભીર પડકાર અને સોનેરી અવસર છે. આપણે બહેરા-બોબડા સમાન રહીને આપણા પોતાના આત્મકલ્યાણ અંગે જ વિચાર નથી કરતા. એ તો મોટી ભૂલ કહેવાય. સમગ્ર પ્રાણીજગત, માનવસમાજ અને પ્રકૃતિને સાથે રાખીને ચાલીશું તો બધાંનું કલ્યાણ થશે અને જ્યારે બધાંનું કલ્યાણ અને મંગળ થશે ત્યારે આપણું જીવન સાર્થક થઈ જશે. માટે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિમાં પર્યાવરણ-સંસ્કૃતિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધનના અભાવમાં આ વિરાટ સંસ્કૃતિ અધૂરી અને અપંગ જેવી રહેશે. ~ | 128 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy